Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના તહેવારોમાં કતલખાના-માંસ-મટનના વેંચાણ પર પ્રતિબંધઃ મ્યુ. કમિશ્નરનું જાહેરનામુ

રાજકોટ, તા. ૩૧ :. આગામી 'શ્રાવણ માસ' નિમિતે તા. ૫, તા. ૧૨, તા. ૧૯ તથા તા. ૨૬ ઓગષ્ટ તેમજ જન્માષ્ટમી નિમિતે આગામી તા. ૨૪ ઓગષ્ટના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છીનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધનું મ્યુ. કમિશ્નર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે.

આ જાહેરનામાની અમલવારી ચૂસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે બી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવાયુ છે.

(6:04 pm IST)