Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

૧૬ સ્થળે પાણીપુરીનું ચેકીંગઃ ૩૧૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે આજે સતત ત્રીજા દિવસે પાણીપુરી બાબતે ૧૬ સ્થળે ચેકીંગ કર્યુ હતું. જેમાં અંકુરનગરમાં ૧૧ તથા લોધેશ્વર સોસાયટીમાં ૫ સ્થળોએ ચેકીંગ કરાયેલ. જેમાં ૧૩ સ્થળોએથી ૧૧૩ કિલો વાસી બટેટા, ૨૭ કિલો વાસી ચણા અને ૪૫ કિલો દાઝયુ તેલ તથા ૭૯ કિલો પુરી, ૬૧ કિલો સડેલી ડુંગળી સહિત કુલ ૩૧૮ કિલો વાસી અખાદ્ય પદાર્થોનો નાશ કરી વેપારીઓને નોટીસો અપાઈ હતી.(૨.૧૯)

(3:44 pm IST)