Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઇન્દિરા સર્કલ પાસે ટુવ્હીલરને રિક્ષા અડી જતાં ચાલક અનિલ પર હુમલો

અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુ મારી છરીથી ઇજા કરી

રાજકોટ તા. ૧: બેડીપરા લંગડા હનુમાનજી મંદિર વાળી શેરીમાં રહેતો રિક્ષાચાલક અનિલ નરોત્તમદાસ અગ્રાવત (ઉ.૩૨) રાતે સાડા બારેક વાગ્યે રિક્ષા હંકારીને ઇન્દિરા સર્કલથી પંચાયત ચોક વચ્ચેના રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પગમાં છરીથી ઇજા કરતાં રસ્તા પરથી નીકળેલા એક મહિલા સહિતના લોકોએ મદદ કરી તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. અનિલે જણાવ્યું હતું કે મારી રિક્ષા આગળ ટુવ્હીલર લઇને જતાં શખ્સના વાહનને અડી જતાં તેણે ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(1:38 pm IST)