Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મ.ન.પા.ના પદાધિકારીઓ-અધિકારીઓ સ્વચ્છતા માટે અઠવાડિયે બે કલાક શ્રમદાન કરશે : શપથ લીધા

રાજકોટ : આજે તા. ૧ ના રોજ સવારે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ 'સ્વચ્છતા શપથ' લીધા હતા. જેમાં પોતે સ્વચ્છતા માટે દર વર્ષે ૧૦૦ કલાક એટલે કે દર અઠવાડિયે ૨ કલાક શ્રમ દાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ, ન ગંદકી કરવી, ન કરવા દઇશ. હું સૌથી પહેલા પોતાનાથી, મારા પરિવારથી, મારા મહોલ્લાથી મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. વગેરે બાબતોના શપથ લીધા હતા. તે વખતની તસ્વીર.

(4:03 pm IST)