Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

નગર શિક્ષણ સમિતિની શાળાઓ ખોલો : આમ આદમી પાર્ટીની રજુઆત

રાજકોટ : કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ છે. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો નોંધાયો છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બંધ થયેલ શાળાઓ હવે ખોલી નાખવા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડીત અને શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આ શાળાઓ ગરીબ મધ્યમ વર્ગ માટે એક માત્ર આશાનું કિરણ હોય છે. ત્યારે આવી શાળામાં ગુણવતાસભર શિક્ષણ મળે તેવી તકેદારી રખાવવા પણ રજુઆત કરાઇ હતી. આ આવેદનપત્ર આપતી વેળાએ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ શિવલાલ પટેલ, ઉપાધ્યક્ષ ચેતનભાઇ કામાણી, મહામંત્રી કે. કે. પરમાર, સેન્ટ્રલઝોન પ્રભારી વિપુલભાઇ તેરૈયા, શિક્ષણ સેલ પ્રમુખ દિગ્વીજયસિંહ વાઘેલા, મંત્રી રાજેશભાઇ પાનસુરીયા, મંત્રી રાકેશભાઇ સોરઠીયા, સંગઠન સહમંત્રી એડ. આર. કે. કાબરીયા, હિમાંશુભાઇ વ્યાસ વગેરે સાથે જોડાયા હતા.

(4:02 pm IST)