Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ખંજવાળ દૂર કરવા શરીરે કપાસની દવા ચોપડી, શ્વાસમાં ચડી જતાં પાર્વતિબેનના પ્રાણ જતાં રહ્યા

ચુનારાવાડના કોળી મહિલાએ બે દિવસની સારવાર બાદ દમ તોડ્યો

રાજકોટ તા. ૧: ચુનારાવાડ શેરી નં. ૭માં રહેતાં પાર્વતીબેન રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૪૬) નામના કોળી મહિલાને શ્વાસમાં ઝેરી દવા ચડી જતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ૨૭મીએ દાખલ કરવામાં આવ્યા હતાં. તેમનું સારવાર દરમિયાન ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. પાર્વતીબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ રમેશભાઇ છુટક મજૂરી કરે છે. પરિવારજનોએ કહ્યું હતું કે પાર્વતીબેનને શરીરે ખંજવાળ ઉપડી હોઇ જેથી તેમણે ખંજવાળ મટાડવા ઘરમાં પડેલી કપાસની દવા શરીરે ચોપડી હતી. જે શ્વાસમાં ચડી જતાં તબિયત બગડતાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.

(11:50 am IST)