Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જિવંતીકાનગરમાં મનસુખભાઇ મોચીએ ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો

૮૫ વર્ષના વૃધ્ધ બિમારીથી કંટાળ્યા'તાઃ દોઢ વર્ષથી પથારીવશ હતાં

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામના જીવંતિકાનગરમાં રહેતાં મોચી વૃધ્ધે ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડી લેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

જીવંતિકાનગર-૯માં રહેતાં મનસુખભાઇ મોહનભાઇ ગોહેલ (ઉ.વ.૮૫) નામના મોચી વૃધ્ધે આપઘાત કરી લીધાની જાણ થતાં ગાંધીગ્રામના એએસઆઇ એમ. વી. લુવા તથા રાઇટર મહેશભાઇ કછોટે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મનસુખભાઇ ગોહેલ એક દોઢ વર્ષથી ડાયાબીટીશ સહિતની બિમારી ધરાવતાં હોઇ પથારીવશ હતાં. દવા-સારવાર કરાવવા છતાં ફરક પડતો ન હોઇ બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધું હતું.

(1:15 pm IST)