Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કાઠીયાવાડ બાલાશ્રમમાં ૪ માસના બાળકનું ઝાડા-ઉલ્ટી થયા બાદ મોત

આલાપ નામના નવજાતને કોઇ જન્મ સાથે જ અહિ મુકી ગયુ હતું

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ પર કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં રખાયેલા ૪ માસના બાળક આલાપને ૨૮મીએ ઝાડા-ઉલ્ટી થતાં અમૃતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ. પરંતુ સારવાર દરમિયાન ગત સાંજે આ માસુમે અંતિમ શ્વાસ લેતાં બાલાશ્રમના સંચાલક, કર્મચારીઓમાં શોક છવાઇગયો હતો.

હોસ્પિટલ મારફત જાણ થતાં ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગર અને મિહીરસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. જન્મથી જ આ બાળકને કોઇ અહિ મુકી ગયું હતું. ઝાડા ઉલ્ટી થયા બાદ શરીરમાં પાણી ઘટી જવાથી મૃત્યુ થયાનું તબિબોએ પોલીસને જણાવ્યું હતું.

(1:14 pm IST)