Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જસદણ પાસે આઈશરે બાઈકને ઉલાળતા શાપર-વેરાવળના વજુભાઈ સોલંકીનું મોત

રાજકોટ, તા. ૧ :. જસદણ પાસે આઈશરે બાઈકને ઉલાળતા બાઈકસ્વાર શાપર-વેરાવળના રજપૂત પ્રૌઢનું મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ય વિગતો મુજબ જસદણ આટકોટ બાયપાસ રોડ ઉપર ગઈકાલે સવારે રોંગસાઈડમાં જતા આઈશર નં. જીજે ૧૪ એકસ ૮૭૩૨ના ચાલકે બાઈક નં. જીજે ૦૩ બીએચ ૬૯૯૭ને હડફેટે લેતા બાઈકસ્વાર વજુભાઈ સોલંકી રજપૂત રે. શાંતિધામ સોસાયટી શાપર-વેરાવળને ગંભીર ઈજા થતા મોત નિપજ્યુ હતું. બનાવ બાદ આઈશર મુકી ચાલક નાસી છૂટયો હતો. મૃતક વજુભાઈ સોલંકી ધંધાના કામ અર્થે જસદણ ગયા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. વજુભાઈને સંતાનમાં બે પુત્રો છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જસદણ પોલીસે આઈશર ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:06 pm IST)