Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

મ.ન.પા.સરકાર જર્જરીત આવાસો વહેલી તકે રીપેર ન કરે ત્યાં સુધી વેરા માફ કરેઃ કાલરીયા

યુનિવર્સિટી રોડ પરના ગ્રામગૃહ નિર્માણ કવાર્ટરમાં છતમાંથી પોપડુ ઘસી પડતા મહિલાને ઇજા : ગત રાત્રીના ઘટનાની જાણ થતા જ મ્યુ. કોર્પોરેશનનાં વિપક્ષી નેતાએ અસરગ્રસ્ત ઘરની મુલાકાત લીધી હતી

રાજકોટ,તા.૧: શહેરનાં વોર્ડ નં.૧૦માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલા ગુજરાત ગ્રામગૃહ નિર્માણના કવાર્ટરમાં છત માંથી મોટુ પોપડુ પડતા સદનસીબે સહેજ માં જાનહાની ટળી હતી.પરંતુ ઘરના એક પ્રૌઢાને મુંઢ ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા આ વોર્ડ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા તુરંત જ સ્થળ ઉપર પહોંચી અસરગ્રસ્ત ઘરની મુલાકાત લઇને વિગતો જાણી હતી.

આ અંગે મનસુખભાઇના જણાવ્યા પ્રમાણે વોર્ડ નં. ૧૦માં ગુજરાત ગ્રામગૃહ નિર્માણમાં આવેલ બ્લોક નં.૫ કર્વોટર્ર નં.૬૦માં ગઇ રાત્રીના કર્વાટરની છતમાંથી પોપડુ ઘસી પડતા વિદ્યાબેન ગોંડ (ઉવ.૬૦)ને ઇજા પહોંચી હતી.૩૦ વર્ષ અગાઉ બનેલા આ કવાર્ટસ હાલ ખુબ જ જર્જરીત થઈ ગયા છે. સીડીઓ, દિવાલો, છત વગેરે માંથી પ્લાસ્ટર ઉખડી ગયેલ છે. વરસાદ,વાવાઝોડા કે નાનાસુના ધરતીકંપના આંચકાથી પણ આ બિલ્ડીંગો તૂટી પડે અને મોટી જાનહાનિની પુરી શકયતાઓ છે.

ગત વર્ષે ભારે વરસાદમાં વૃન્દાવન મેઇનરોડ ઉપર ના વામ્બે આવાસની વોંકળા બાજુની દિવાલ ધસી પડી ત્યારે પણ કોંગ્રેસની રજુઆતથી તત્કાલીન મ્યુ.કમિશ્નરે સ્થળ પર રૂબરુ મુલાકાતઙ્ગ લીધેલ.ત્યારે આવા બધા જ જર્જરીત આવાસો અંગે રજુઆત કરેલ પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

મનપાએ તથા સરકારએ આવા જર્જરીત આવાસોને વહેલી તકે રીપેર કરવા જોઇએ, રીપેર ન થાય ત્યાં સુધી વેરા માફ કરવા જોઇએ.

(3:50 pm IST)