Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કાલે તા.૨ના રોજ મુંબઈના રાજાવાડી સંઘમાં પ્રવેશ

સ્વાધ્યાય, સાધના અને સંયમની પુષ્ટતા અર્થે ચાતુર્માસઃ પૂ.પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. નાં શિષ્યરત્ન સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુુનિ મ.સા. વર્તમાન સમયે મુંબઈ ઘાટકોપરમાં બિરાજમાન છે. આ વિકટ સમયે પણ ઘાટકોપરથી રાજકોટ તરફ નો વિહાર સુરક્ષિત ન હોવાથી અને અમારી ભાવભરી વિનંતીથી ર૦ર૧ ને બદલે અમોને ર૦ર૦ માં જ પૂ. સદગુરૂદેવ નું ચાતુર્માસ મળી ગયુ , તેનો સકલ રાજાવાડી સંઘમાં અતિ આનંદ છે.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સ્વાધ્યાય, સાધના અને સંયમની પુષ્ટતા અર્થે આગામી ચાતુર્માસ શેઠ ઉપાશ્રય રાજકોટના બદલે મુંબઈ શ્રી રાજાવાડી સ્થા. જૈન સંદ્ય ઘાટકોપરમાં બિરાજમાન થશે. સંઘો એ સરકાર છૂટ આપે તો પણ આ વર્ષે સમૂહમાં તમામ પ્રવૃતિ બંધ કરવી જોઈએ.

કોરોના મહામારીના કારણે સ્વાગત સમારોહ કે અન્ય કોઈપણ કાર્યક્રમ રાખેલ નથી. સાવચેતી ના ભાગરૂપે ભાવીકોએ પણ પ્રત્યક્ષ દર્શનનો આગ્રહ રાખવો નહીં.ભાવથી જ દર્શન - વંદન કરવા સર્વને સંઘે વિનંતી કરી છે. ચાર્તુમાસ કલ્પ પ્રવેશ તા. ૨ને મંગળવારે શ્રી રાજાવાડી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ - ઘાટકોપર કૃષ્ણકુંજ , ૧૪૪-૧૪૫ એમ.જી.રોડ, સવાણી એપાર્ટમેન્ટ ની સામે, રાજાવાડી, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ ખાતે થશે. સંપર્ક ૯૩૨૨૬૯૭૯૭૧

(1:08 pm IST)