Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ગાંધીગ્રામ ભારતીનગરના જયરાજસિંહ જાડેજાનું રિક્ષામાં બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામ ભારતીનગર-૨માં રહેતાં જયરાજસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.૩૫) નામના યુવાનને સાંજે ચારેક વાગ્યે ધરમનગર આવાસ યોજના કવાર્ટર શ્યામ ડેરી પાસે પોતાની રિક્ષામાં હતાં ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલાએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને નિર્મળસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. મુળ જામકંડોરણાના ચરલ ગામના વતની હતાં. બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને સંતાનમાં ત્રણ પુત્રી તથા એક પુત્ર છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:00 pm IST)