Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ધો.૧૨ના વિદ્યાર્થીઓ માટે મંગળવારે ફ્રી સેમીનાર

કેઈઝન ગ્રુપ દ્વારા હોટલ ઈમ્પેરીયલ પેલેસ ખાતે સેમીનારનું આયોજન

રાજકોટ, તા. ૧ : અહિંના પ્રખ્યાત કેઈઝન ગ્રુપ દ્વારા સતત ૧૧માં વર્ષે ધો.૧૨ સાયન્સ - કોમર્સના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમીનારનું આયોજન તા.૪ના મંગળવારે સવારે ૯ વાગ્યે હોટલ ઈમ્પીરીયલ પેલેસ યાજ્ઞિક રોડ ખાતે કરવામાં આવેલ છે.

આ ફ્રી સેમીનારમાં સરકાર દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપ જેમ કે એસ.ટી., ઓ.બી.સી. વિદ્યાર્થી માટે ફ્રીશીપ કાર્ડ તેની માહિતી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.૧૦ લાખ સુધીની એજ્યુ. લોન વિદ્યાર્થીને લોનનું વ્યાજ ભરવું પડતુ નથી. તો સરકારશ્રીની યોજનાની ડીટેલ માહિતી કે એના માટે કયા સંપર્ક કરવો કેવી રીતે ધી સ્કોલરશીપ માટે એપ્લાય કરવું તેવી વિગતો આપવામાં આવશે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીને ૫૦ પીઆરથી વધુ આવેલ હોય એમને સર્ટીફીકેટ આપી સન્માન કરી આગળ વધુ સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ કઈ કારકિર્દી સિલેકટ કરવી અને વિદ્યાર્થીઓને કારકિર્દીને લગતો કોઈપણ મુંઝવણનું એકસપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમીનારમાં વિદ્યાર્થીઓએ ભાગ લેવો હોય તેમણે ધો.૧૨ની માર્કશીટની ઝેરોક્ષ કેઈઝન ગ્રુપ કાર્યાલય - ઓફીસ નં.૧૬ ગ્રાઉન્ડ ફલોર કોસ્મો કોમ્પલેક્ષ મહિલા કોલેજ ચોક ખાતે આપીને ફ્રી રજીસ્ટ્રેશન સવારે ૯ થી રાત્રે ૯ દરમિયાન (રવિવારે પણ ચાલુ) કરાવી શકશે.

આ કાર્યક્રમની વધુ વિગતો માટે કેઈઝન ગ્રુપના સીઈઓ વસીમ માકડાનો મો.૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર પણ સંપર્ક કરવા જણાવાયુ છે.(૩૭.૯)

રાજય સરકાર દ્વારા ઓબીસી- એસટીના છાત્રોને ૧૦ લાખ સુધીની વ્યાજ વગરની લોન : ફ્રી કાર્ડ

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા એસસી, ઓબીસીના વિદ્યાર્થીઓને ૧૦ લાખ સુધીની એજ્યુકેશન આપવામાં આવે છે જેનું વ્યાજ પણ સરકાર દ્વારા અપાતુ હોય છે આવા લાભાર્થીઓને ફ્રી શીપ કાર્ડ પણ આપવામાં આવે છે : આ અંગેની માહિતી પણ આગામી મંગળવારે આ સેમીનારમાં આપવામાં આવશે : જેનો લાભ લેવા યાદીમાં જણાવાયુ છે

(3:55 pm IST)