Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જયરાજ પ્લોટમાં વંદનાબેન મુઘવાનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા.૧: પેલેસ રોડ પર જયરાજ પ્લોટમાં રહેતી ભરવાડ પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ પેલેસ રોડ પર જયરાજ પ્લોટ શેરીનં. ૮/૧૧ના ખુણે રહેતા વંદના બેન હિતેશભાઇ મુંઘવા (ઉ.વ.૩૨)એ ગઇકાલે પોતાના ઘરે પોતાના રૂમમાં છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બીજા રૂમમાં સુતેલા તેના સાસુ, સસરાને ખબર પડતા ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટી જયદિપભાઇ સબાડે જોઇ તપાસી તેનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યુ હતું. બાદ જાણ કરતા એ ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ બી.બી. કોડીયાતર તથા રાઇટર ધર્મેન્દ્રસિંહે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક વંદનાબેન ના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં પોણા બે વર્ષની પુત્રી છે. અને પતિ હિતેશ દૂધનો ધંધો કરે છે. તેમણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:01 pm IST)