Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોરોના વાઇરસની લડતમાં મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.૧૦ લાખનું ડોનેશન આપવામાં આવ્યું

સમગ્ર વિશ્વની સાથો સાથ ભારત દેશ કોરોના વાઇરસની મહામારી સાથે લડત આપી રહ્યું છે. તેમજ ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. આ કોરોનાની મહામારીને પહોંચીવળવા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે અને તેનો અમલ પણ થઇ રહ્યો છે. આ લોકડાઉન દરમ્યાન દરેકને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તેવી સરકાર તરફથી યોગ્ય વ્યવસ્થા કરવમાં આવેલ છે. જે બદલ વેપાર-ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી વરિષ્ઠ મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવે છે અને કોરોના વાઇરસની મહામારી સામેની લડતમાં મુખ્યમંત્રી રાહતનિધિ ફંમાં રૂ.૧૦ લાખનું ડોનેશન આપી નૈતિક ફરજ બજાવી સહયોગ આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:48 pm IST)