Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

હે માં રોગચાળામાંથી સૌને ઉગારજે : લોખીલ પરિવારના બાળકોના 'માં' પાસે કાલાવાલા

રાજકોટ : આજે સૌના ચહેરા કોરોનાના રોગચાળાથી રડમશ થઇ ગયા છે. આ મહામારીમાંથી સૌ ઉગરી જાય તે માટે ઠેરઠેર પ્રાર્થનાઓ થવા લાગી છે. ત્યારે અહીંના આર્યનગર ખાતે રહેતા મુળ જાલસીકાના લોખીલ પરિવારના બાળકો મેઘરાજ, મેઘાંશ, ભવ્યા, કાવ્યા વગેરેએ દેવી દેવતાઓને કાલાવાલા કરી બાળ સહજ સ્વભાવે અરજ કરી છે. ઉલ્લેખનીય છે કે જય એન્ટરપ્રાઇઝના વ્યવસાય સાથે સંકળાયેલા અને લાઇફ કેર સોશ્યલ ફાઉન્ડેશનના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ આદરતા અજીતભાઇ ઘુસાભાઇ લોખીલ (મો. ૯૦૬૭૭ ૭૮૮૯૪) અને ભાવેશભાઇ લોખીલના સમસ્ત પરિવારજનો દ્વારા વિશ્વ શાંંતિના ભાવથી હોમ હવન અને જાપ પણ કરવામાં આવ્યા હતા. જે તસ્વીરોમાં નજરે પડે છે.

(3:36 pm IST)