Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

લાખોનો માલ બારોબાર વેચી નાખવાના ગુનામાં: આરોપીના આગોતરા જામીન મંજૂર

રાજકોટ તા. ૧ :.. લાખોની કિંમતનો માલ બારોબાર વેચી નાખવાના ગુનામાં સંભવિત ધરપકડ સામે આરોપી મનોજ અગ્રવાલ અને મૌલીક રામાણીએ સંભવિત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને અંકલેશ્વરને સેશન્‍સ કોર્ટે રદ કરતાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.

આ બનાવ અંગે અંકલેશ્વર-ભરૂચના મનોજ અગ્રવાલ અને મૌલિક રામાણી સામે જયભાઇ વિજયભાઇ દોશીએ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ પાસેથી હાલના ઉપરોકત બંને અરજદારોએ માલ ખરીદવાનું ખુલતાં તેઓની ધરપકડની દહેશત ઉભી થતાં આગોતરી જમીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ કામમાં અરજદારો વતી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જય હરેશભાઇ પટેલ, હરેશભાઇ પટેલ, એન. જે. શાહ તેમજ હરેશ એન. જોષી રોકાયા હતાં. 

(3:08 pm IST)