Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

અપહરણ-દુષ્‍કર્મના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. ૧ : અપહરણ કરી દુષ્‍કર્મ કરવાના ગુનામાં આરોપીને સેશન્‍સ (પોકસો સ્‍પે.) કોર્ટે નિર્દોષ છોડી મૂકેલ છે.

રાજકોટ શહેરના ‘પ્ર.નગર' પોલીસ સ્‍ટેશનના ઇ.પી.કોડની કલમ ૩૬૩, ૩૬૬,૩૭૬,૧૧૪ તથા જાતીય ગુનામાં બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ની કલમ ૪,૬,૧૭ મુજબની ફરિયાદથી આરોપી શનિ મોહનભાઇ સોઢાની ધરપકડ કરેલી અને તે કામમાં તપાસનીશ અધિકારીએ આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટ સેશન્‍સ (પોકસો સ્‍પે.) કોર્ટ રજુ કરેલ જે કેસની ટ્રાયલ સેશન્‍સ (પોકસો સ્‍પે.) કોર્ટમાં ચાલેલી. આ કામમાં સાહેદોના નિવેદનો, કેસની હકીકત અને બચાવ પક્ષના વકીલોની રજુઆતને ધ્‍યાને લઇને સેશન્‍સ (પોકસો સ્‍પે.) કોર્ટે ઉપરોકત આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં અરજદાર/ આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાષાી શ્રી ચીમનભાઇ ડી.સાંકળીયા, અજય એન.ત્રિવેદી, મનીષાબેન પોપટ, પ્રકાશભાઇ એ.કેશુર, એન.સી.ઠક્કર, મુકેશભાઇ જાની વગેરે રોકાયેલ હતા.

(12:02 pm IST)