Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દલડી ખોડિયાર આશ્રમમાં જ્‍યોત્‍સનાબેન અને પુત્ર પંકજ પર ધારીયાથી હુમલો

બકરા ચરાવવા આશ્રમમાં મુકી દેનારા શખ્‍સોને સમજાવતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૧: વાંકાનેરના દલડી ગામે આવેલા ખોડિયાર આશ્રમમાં વર્ષોથી રહેતાં માતા-પુત્ર પર સાંજે દલડી ગામના શખ્‍સોએ ધારીયા ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જ્‍યોત્‍સનાબેન મનસુખભાઇ મકવાણા (ઉ.૪૬) અને પુત્ર પંકજ (ઉ.વ.૨૬) સાંજે પોતાના આશ્રમે હતાં ત્‍યારે અજાણ્‍યા ભરવાડ શખ્‍સોએ હુમલો કરતાં ઇજા પહોંચી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. સગાના કહેવા મુજબ આશ્રમના વંડામાં વાવેતર હોઇ તેમાં ભરવાડ શખ્‍સોએ પોતાના બકરા ચરવા મુકી દેતાં તેને બહાર લઇ લેવા સમજાવતાં માથાકુટ કરી હુમલો કરાયો હતો.

પ્રાંસલીમાં પ્રવિણભાઇએ નશાની ટેવથી કંટાળી ઝેર પીધું

કેશોદના પ્રાંસલીમાં રહેતાં પ્રવિણભાઇ કાળાભાઇ પારેડી (ઉ.૩૭)એ ઝેરી દવા પી લેતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં કેશોદ પોલીસને જાણ કરાઇ હતી. દારૂના નશાની ટેવ હોઇ તેના કારણે પેટમાં બળતરા થતી હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્‍યું હતું. 

(11:44 am IST)