Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

લોહાણા મહાજનવાડીમાં રવિવારે સત્‍યનારાયણ કથા

સાંગણવા ચોક મહાજનવાડીને નવારંગરૂપ સાથે નવીનીકરણઃ કુંડલીયા હોલની કામગીરી પણ પુર્ણતાના આરેઃ મીરાબેન ભટ્ટ કથાનું રસપાન કરાવશે રાજુભાઇ પોબારૂ

રાજકોટઃ શહેરમાં સાંગણવા ચોકમાં આવેલ લોહાણા મહાજનવાડીમાં આગામી તા.૩ના રવિવારે સાંજે ૪ થી ૬ શ્રી સત્‍યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. કથાનુ રસપાન પૂ. મીરાબેન ભટ્ટ કરાવશે. નવા રંગરૂપ સાથે મહાજન વાડીનું નવીનીકરણ કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત કુંડલીયા હોલનું પણ નવીનીકરણ ટુક સમયમાં થનાર હોવાનુ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ જણાવેલ .

તસ્‍વીરમાં પ્રમુખ રાજુભાઇ પોબારૂ, રીટાબેન જોબનપુત્રા, ડો. હિમાંશુભાઇ ઠકકર, અને ધવલભાઇ ખખ્‍ખર નજરે પડે છે. (તસ્‍વીરઃ વિક્રમ ડાભી)

(4:17 pm IST)