Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી. જોષી સહિત ૨૨ નાયબ કલેકટરોની બદલી

ધોરાજીના પ્રાંત અધિકારી તુષાર જોષીની વિસાવદર બદલી

રાજકોટ, તા. ૧ :. રાજ્યના મહેસુલ વિભાગે લોકસભાની ચૂંટણી જાહેરાત થતા પૂર્વે આજે નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીનો વધુ એક ઘાણવો કાઢયો છે. વિભાગના નાયબ સચિવ શ્રી દિલીપ ઠાકરની સહીથી ૨૨ અધિકારીઓની બદલીના હુકમ થયા છે. જેમાં સૌરાષ્ટ્રને સ્પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

ભાવનગરના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યુ.એસ. શુકલાની ત્યાં જ પ્રાંત અધિકારી તરીકે તથા ગાંધીનગરના પ્રોટોકોલ ડે. કલેકટર એસ.સી. યાદવની ભાવનગરમાં નાયબ ચૂંટણી અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. ભાવનગરના પ્રાંત અધિકારી જી.વી. માયાણીને ધોરાજી પ્રાંત અધિકારી તરીકે, ધોરાજીના તુષાર એચ. જોષીને વિસાવદર પ્રાંત અધિકારી તરીકે, વિસાવદરના ડી.વી. વાળાને કુતિયાણા પ્રાંત અધિકારી તરીકે તથા વંથલીના કે.પી. જેઠવાને લાલપુર (જામનગર) પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. લાલપુરના જે.એમ. ભોરણીયાને ગાંધીનગરમાં પ્રાંત અધિકારી, રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી. જોષીને વંથલી પ્રાંત અધિકારી અને કુતિયાણાના પ્રાંત અધિકારી આઈ.એસ. પ્રજાપતિને વિકાસ કમિશનર કચેરીમાં મદદનિશ કમિશનર તરીકે બદલવામાં આવ્યા છે.

(2:53 pm IST)