Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૭-૯-ર૦૧૯,શુક્રવાર
ભાદરવા વદ-૧૩
ચૌદશનો ક્ષય છે. શસ્ત્ર-અસ્ત્રથી અથવા ઘાતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ , શિવરાત્રી, સિદ્ધિયોગ સૂર્યોદયથી રપ-૦પ,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-સિંહ
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૬-૩૮,
જૈન નવકારશી-૭-૨૬
ચંદ્રરાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૮ સુધી, ૧ર-૩૮થી શુભ-૧૪-૦૮ સુધી, ૧૭-૦૮થી ચલ-૧૮-૩૮ સુધી, ર૧-૩૮થી લાભ-ર૩-૦૮ સુધી
શુભ હોરા
૬-૩૮થી ૯-૩૮ સુધી, ૧૦-૩૮થી ૧૧-૩૮ સુધી, ૧૩-૩૮થી ૧૬-૩૮ સુધી, ૧૭-૩૮થી ૧૮-૩૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
પિતૃઓના આશિર્વાદ મેળવવા હરહંમેશા સારૂ કાર્ય કરવું. પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવું ન કરવું. શેર બજાર સટ્ટ કામ કાર્ય ન કરવું. રોજ શકિત પ્રમાણે દાન પુન ચેરીટી કરવી. રોજ સવારે ઉઠીને પિતૃઓને મનમાં યાદ કરીને પગે લાગવું-તકલીફો હોય કે ન હોય રોજ સારૂ કાર્ય કરવું-ઉપાસના કરવી ઓમ નમઃ શિવાય કે ફકત 'ઓમ'ના જાપ થઇ શકે તે કરીને ધ્યાનમાં બેસવું રોજ રૂદ્રા કરવી-પોતે જ કરવી અને મનમાં બેસીને બોલવું બજારમાંથી હનુમાન ચાલીસા કે રૂદ્રાની બુક મલે છે. થોડો ટાઇપ વાંચવાથી યાદ રહી જશે ફકત દશ મીનીટનો સમય લાગી શકે છે. સૂર્ય નમસ્કાર કરવા ગાયત્રી મંત્રના જાપ કરવા આ બધુ ફકત દશ મીનીટમાં થઇ શકે છે કોઇને જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી જરૂરથી પિતૃઓ આશિર્વાદ આપશે. (ક્રમશ)