Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.રર-૯-ર૦ર૧ બુધવાર
ભાદરવા વદ-ર
વૃધ્ધિ તિથિ છે
બીજનુ શ્રાધ્ધ
પંચક - બુધ તુલામાં
વ્યતિપાત મહાપાત ૧૦-૧૬ સુધી
દક્ષિણ ગોલારંભ -પિતૃપદિન
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મીન
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૩૬,
સૂર્યાસ્ત-૬-૪૩
જૈન નવકારશી- ૭-ર૪
ચંદ્ર રાશિ- મીન (દ. ચ.ઝ.થ.)
નક્ષત્ર- રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૭ થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૯ થી શુભ ૧ર-૩૯ સુધી, ૧પ-૪૧ થી ચલ-લાભ-૧૮-૪ર સુધી, ર૦-૧૧ થી શુભ-અમૃત-ચલ
ર૩-૧૦ સુધી
શુભ હોરા
૬-૩૭ થી ૮-૩૮ સુધી,
૯-૩૮ થી ૧૦-૩૮ સુધી,
૧ર-૩૯ થી ૧પ-૪૧ સુધી
૧૬-૪૧ થી ૧૭-૪ર સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો દશમા સ્થાનમાં મંગળ હોય તો આવી વ્યકિત નોકરી ધંધામાં ખુબ જ નસીબદાર હોય છે. અહીં જો જન્મના મંગળની સાથે ચંદ્ર હોય અથવા તો ચંદ્ર-મંગળ એક બીજા ઉપર દૃષ્ટિ કરતા હોય તો લક્ષ્મી યોગ બને છે. જીવનમાં કદાપી કોઇ નાણાકીય તકલીફો નથી આવતી અહીં જો ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં હોય તો વિદેશ જવાની કે દરીયાઇ જગ્યાએથી લાભ મળી શકે છે. હવે એક સરખા ગ્રહો હોવા છતાં પણ ઘણી વખત અલગ અલગ વ્યકિતત્વ પણ જોવા મળે છે. અહીં અંધ શ્રધ્ધામાં ન જ પડવુ આત્મ વિશ્વાસ અને મહેનત ઇમાનદારી જરૂરથી સફળતા અપાવે છે. પનોતી દરમ્યાન પણ જીવનમાં ખુબ જ પ્રગતિ થઇ શકે છે રોજ શકિત મુજબ દાન પુન કરવું.