Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૧-૬-ર૦ર૧ શુક્રવાર
જેઠ સુદ-૧ (જેઠ મહિનો શરૂ)
ગંગા દશહરા પ્રારંભ
કરિદિન - ચંદ્ર દર્શન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૮
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક. છ. ધ.)
નક્ષત્ર મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૦ થી અભિજીત-૧૩-૧૩ સુધી ૬-૦૪થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૪૭ થી શુભ-૧૪-ર૭ સુધી, ૧૭-૪૯ થી -ચલ-૧૯-૩૦ સુધી, રર-૦૮થી લાભ-ર૩-ર૧ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૯-રપ સુધી, ૧૦-૩ર થી ૧૧-૩૯ સુધી, ૧૩-પ૪ થી ૧૭-૧પ સુધી, ૧૮-ર૩ થી ૧૯-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો સપ્તમેષ આઠમે હોય અને તેના ઉપર ગુરૂની દૃષ્ટિ હોય તો આવી વ્યકિતના લગ્ન પછી ભાગ્યોદય થઇ શકે છે. કયારેક સગાઇ લગ્ન બાબતનું કાર્ય કોઇને કોઇ અવરોધોનો સામનો કરે છે મહેનત ખુબ જ હોય છે. જો પાંચમા સ્થાનનો માલીક પાંચમે હોય તો આર્થિક બાબતોમાં અનુકુળતાઓ જોવા મળે છે કયારેક પાંચમા સ્થાનમાં સ્વગ્રહી ટકર હોવા છતાં પણ કયારેક સંતાનો સાથે મતભેદો રહે છે અહિ સવારે સૂર્ય નમસ્કાર કરવા અને ગાયત્રી મંત્ર રોજ મનમાં બોલવો જન્મ કુંડલીમાં કેન્દ્રમાં જો ગુરૂ હોય અને ચંદ્ર પોતાની રાશિમા હોય તો આવી વ્યકિત ખૂબ જ લાગણીઓ વાળી હોય છે અને પરિવાર પ્રત્યે કુટુંબ પ્રત્યે ખુબ જ વફાદાર રહે છે.