Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૧-૮-ર૦૧૮ શનિવાર
અષાઢ વદ-અમાસ
હરિયાળી અમાસ, દિવાસો,
દર્શ અમાસ, ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ, હિન્દુસ્તાનમાં નહીં દેખાય, અન્વાધાન
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૩
સૂર્યાસ્ત-૭-ર૦
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
ર૪-૦પ થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-આશ્લેષા
કાર્યોનો શુભ સમય
૮-૦૧ થી શુભ-૯-૩૮ સુધી,
૧ર-પર થી ચલ-લાભ-અમૃત-
૧૭-૪૪ સુધી, ૧૯-ર૧ થી
લાભ-ર૦-૪૪ સુધી,
શુભ હોરા
૭-ર૯થી ૮-૩૩ સુધી, ૧૦-૪૩ થી ૧૩-પ૭ સુધી, ૧પ-૦ર થી ૧૬-૦૭ સુધી, ૧૮-૧૬ થી ર૧-૧૧ સુધી,
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે જયારે જન્મકુંડલીમાં જો સૂર્ય અને શનિ એકજ રાશિમાં હોય તો આવી વ્યકિત પોતાના ીપતાને ખૂબજ પ્રેમ કરતી હોય છે પણ અહીં એ વાત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે ફકત સૂર્ય અને શનિ ઉપરથી ફળાદેશ ન કરવું. જો ચંદ્ર રાહુ સાથે હોય તો આવી વ્યકિતને તેની માતા તરફથી ખૂબજ પ્રેમ મલે છે પણ તે પ્રેમને લઇને તે વ્યકિત તેના પિતાની સાથે સારા સબંધો ન રાખતી અથવા તેના પિતાને નથી સમજી શકિત અને ખર્ચાળ અને ઉઠાવ સ્વભાવ થઇ જાય છે તેમાં તેની માતાનો હાથ હોય છે અને પછી સમજાય છે ત્યારે માતાને ખૂબજ પસ્તાવો થાય છે.