તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન
પ્રશ્નઃ એ પણ પુછયું છે કે બીજા ચરણમાં શરીર બીલકુલ અલગ લાગવુ જોઇએ પરંતુ શરીરને કાંઇક હોવા પર તેમની ખબર તુરત લાગી જાય છે.
અલગ જરૂર છે પરંતુ એનો એવો અર્થ થોડો છે કે ખબર નહિ લાગે. અલગ છે. ત્યારે પણ ખબર લાગશે. એક ખબર હોય છે. ત્યારે પણ ખબર લાગે છે. એક ખબર થવાથી ખબરને લાગવામાં તફાવત હોય છે. ખબર તો લાગે જ છે. જયારે શરીર અલગ લાગી રહયું હોય છે ત્યારે જો ભુખ લાગશે તો એવું લાગશે કે શરીરને ભુખ લાગી છે. અને જયારે શરીર એક છે એવી ખબર પડી રહી છે તો એવું લાગશે કે મને ભુખ લાગી છે. એમાં તફાવત છે બસ બીજો કોઇ તફાવત નહી લાગે શરીરમાં દર્દ થઇ રહયું છે તો જો શરીર અલગ છે તો એવું લાગશે કે કયારે દુર શરીરમાં દર્દ થઇ રહયું છે.
ઓશો
ધ્યાનકે કમલ
સંકલન : સ્વામી સત્યપ્રકાશ- ૯૪૨૭૨-૫૪૨૭૬
આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?
આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'
તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.
પશ્ચિમના મોટાભાગના મનૌ ચિકિત્સકોના મત અનુસાર આજની વિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.
સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬