વિવિધ વિભાગ
News of Friday, 25th May 2018

સાથી હાથ બઢાના

વંદનાબેન કુકરેજાને સારણગાંઠ અને પિતાશયની સારવારમાં રૂ.૮૦,૦૦૦ની જરૂર

રાજકોટ તા. ૨૫ : અતિ સાધારણ પરિસ્થિતીના સિંધી લોહાણા વંદનાબેન  શાંતિલાલ કુકરેજા સારણગાઠના દર્દ અને પિતાશયમાં પથરીના કારણે અસહ્ય દર્દ વેઠી રહ્યા હોય ઓપરેશન કરાવવુ પડે તેમ છે. તારા હોસ્પિટલના ડો. આશિત છનીયારા પાસે તેમની સારવાર ચાલુ છે. ઓપરેશન માટે રૂ.૮૦,૦૦૦ જેટલો ખર્ચ થાય તેમ છે. પતિ માનસિક અસ્થિરતાના કારણે ઘરમાં ધ્યાન આપી શકતા નથી. એક દિકરી સાથે સ્વાવલંબી જીવન જીવતા વંદનાબેન આટલી મોટી રકમને પહોંચી શકે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકોએ આર્થિક મદદ માટે આગળ આવવા તેમણે અપીલ કરી છે. તેઓ દેનાબેંક જંકશન પ્લોટ શાખામાં વંદનાબેન શાંતિલાલ કુકરેજાના નામથી બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતા નં. ૦૫૪૫૧૦૦૪૩૧૫૧ છે. વધુ માહીતી માટે તેમના નિવાસ સ્થાન, 'ચામુંડા કૃપા' રેલનગર, પોપટપરાથી આગળ, ક્રિષ્ના પાર્ક શેરી નં. ર, રાજકોટ ખાતે રૂબરૂ અથવા તેમના મો.૮૪૦૧૩૪૧૩૦૨ ઉપર અથવા તેમના દીયર જવાહરલાલ કુકરેજા મો.૯૧૭૩૫ ૧૩૯૧૯ નો સંપર્ક કરી શકાય છે.

(11:45 am IST)