દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન
સમસ્યાઓ
''જો તમે એવી રીતે વર્તશો કે તમારે કોઇ સમસ્યા નથી. તો તમે જોશ કે ખરેખર તમારી કોઇ સમસ્યા નથી બધી જ સમસ્યાઓને માનવામાં આવી છે, તમે તેને માનો છો અને તેથી જ તેઓ ત્યા છે.''
તે સ્વ સંમોહન છે. જો તમે સતત રટણ કર્યા કરો કે તમેઆવા છો, તમે તેવા છો, તમે સંપૂર્ણ નથી અથવા તમે અશકિતમાન છો તમે આ સતત રટણ કરશો અને એ તમારો મંત્ર બની જશે તે તમારા હૃદયમાં ઉંડે સુધી ઉતરી જશેઅને તમારી હકીકત બની જશે.
એવી રીતે વર્તવાની કોશીષ કરોકે તમારે કોઇ સમસ્યા જ નથીઅને અચાનક તમે જોશો કે તમરી ગુણવતા જ બદલાઇ ગઇ છે. તમારે કોઇ સમસ્યાઓ જ નથી! અને હવે તે તમારા ઉપર છે કે તમે સમસ્યાઓને ફરીથી સ્વીકારો છો કે હમેશાને માટે તેને છોડી દો છો સમસ્યાને છોડી દેવી-સરળ છે જો તમે સમજો કે તમે જ સમસ્યાને પકડી રાખી છે, સમસ્યાએ તમને નહી પરંતુ આપણે સમસ્યાઓ વગર જીવી નથી શકતા તેવી આપણે સમસ્યાઓ ઉત્પન્ન કરીએ છીએ દરેક વ્યકિતને સમસ્યાઓ વગર ખૂબજ એકલુ લાગે છે- કઇ જ કરવાનું રહેતું નથી. સમસ્યા સાથે તમે ખુશી અનુભવો છો--- કઇક કરવા માટે છે અને તમારે તેના માટેવિચારવુ જ પડશે. તે તમને કામ આપે છે.
આ સતત વિચાર કે તમે સંપૂર્ણ અથવા શકિતમાન નથી અનેતમે આવા છો, તમે તેવા છો-- આ બધુ મૂળભૂત રીતે અહમનુ પોષણ છે. તમે એકદમ સંપૂર્ણ થવા માર્ગો છો પરંતુ શા માટે ? તમે ખૂબ જ શકિતમાન થવા માગો છો પરંતુ શા માટે ? તમે બધીજ જ અપૂર્ણતાઓ અને મર્યાદાઓ સાથે શા માટે સંતુષ્ટ નથી ? એકવાર તમે તેઓને સ્વીકારી લો તો તમે જોશો કે તમે વધારે સરળતાથી જીવન જીવી શકો છો.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬