દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન
દરવાજો
''બધા જ સંબંધો કલ્પના છે કારણ કે જ્યારે પણ તમે તમારી જાતની બહાર જાઓ છો, તમે ફકત કલ્પનારૂપી દરવાજા દ્વારા જાવ છો. બીજો કોઇ દરવાજો નથી.''
મીત્ર અથવા શત્રુ, બંને તમારી કલ્પના છે જ્યારે તમે કલ્પના કરવાનું સંપૂર્ણ બંધ કરો છો, તમે એકલા છો,- સંપૂર્ણપણે એકલા -એકવાર તમને સમજાય છે કે જીવન અને તેના બધા જ સબંધો કલ્પના છે, તમે જીવનની વિરુદ્ધ નથી જતા -પરંતુ તમારી સમજણ તમને સંબંધો વધારે મધુર બનાવવામાં મદદરૂપ થાય છે. હવે તમે જાણો છો કે સબંધો માત્ર કલ્પના જ છે, તો શા માટેતેમા વધારે કલ્પનાનો ઉમેરો ના કરીએ ? શા માટે - તેને શકય હોયતેટલા વધારે ઉંડાણથી માણીએ નહી? જ્યારે એક ફુલ કઇ જ નહી પરંતુ તમારી કલ્પના છે તો શા માટે સુંદર ફૂલના બનાવીએ ? શા માટે સામાન્ય ફૂલથી ખુશ થઇ જઇએ ? ફૂલને નીલમ અને હિરાજડીત થવા દઇએ.
જેકઇપણ તમે કલ્પના કરો છો, તેને થવા દો. કલ્પના પાપ નથી, તે ક્ષમતા છે, તે સેતું છે. જેમ તમે નદીને ઓળંગો - છો ત્યારે આ કિનારાથી પેલા કિનારા સુધી સેતુ બનાવો છો- તેવી જ રીતે કલ્પના બે વ્યકિતઓ વચ્ચે કામ કરે છે-બે વ્યકિતઓ એક સેતું બનાવે છે-તેને પ્રેમ કહો, તેને વિશ્વાસ કહો-પરંતુ તે કલ્પના છે. કલ્પના મનુષ્યની એકમાત્ર -કલાત્મક શાખા છે. તેથી જે કઇપણ મનુષ્યની એકમાત્ર-કલાત્મક શાખા છે તેથી જે કઇપણ કલાત્મક છે તે કલ્પના બની જાય છે. તેને માણો અને વધારે ને વધારે સુંદર બનાવો ધીમે-ધીમે તમે એવા બિન્દુ ઉપર આવશો જ્યા તમે સબંધો ઉપર આધારીત નહી રહો જો તમારી પાસે કઇ છે તો તમે બીજાને ભાગ આપો છો, તમે લોકો સાથે ભાગ કરો છો છતા પણ તમે જે છો તેનાથી તમે તૃપ્તી છો બધો જ પ્રેમ કલ્પના છે. પરંતુ સામાન્ય રીતે આ શબ્દનો જે રીતે નિંદાત્મક સ્વરૂપમાં ઉપયોગ થાય છે તે રીતે નહી કલ્પના દિવ્ય શકતી છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬