સાથી હાથ બઢાનાઃ તૈયદભાઇ જુનાથને સારવાર માટે આર્થીક મદદની જરૂર
રાજકોટ તા. ૧ : શ્વાસની તકલીફનો સામનો કરી રહેલ રાજકોટના તૈયદભાઇ જુનાથને ગેગરીનની અસર થતા ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આઇસીયુમાં ખસેડવામાં આવેલ છે. લીવર ઉપર સોજો અને લોહીની ટકાવારી ઘટી ગયાનું તબીબી રીપોર્ટમાં જણાવાયુ છે. પરીક્ષણ કરાતા તેમને સિસ્ટેમીક લ્યુપસ ઇરિથીમેટોસીસ (એસ.એલ.ઇ.) નામનો જટીલ રોગ થયાનું કહે છે. ગેંગરીનના કારણે આંગળીઓ કાળી પડવા લાગી હોય તાત્કાલીક ઓપરેશનની સલાહ આપવામાં આવી છે. ફેફસામાં પાણી ભરાવાની સમસ્યા પણ ચિંતા જનક હોવાનું તબીબોએ જણાવેલ છે. એકદમ સાધારણ પરિસ્થિતીમાંથી આવતા તૈયદભાઇનો પરિવાર આગળની સારવારના ખર્ચ પહોંચી વળે તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકોએ આગળ આવવા અપીલ કરાઇ છે. તેઓ ભારતીય સ્ટેટ બેન્કમાં બચત ખાતુ ધરાવે છે. ખાતા નં. ૩૧૫૧૧૮૭૭૦૭૨ છે. વધુ માહીતી માટે દાઉદભાઇ (મો.૯૪૨૬૮ ૧૯૯૭૩) નો અથવા રૂબરૂ તેમના નિવાસ સ્થાન જામનગરરોડ, હુડકો કવાર્ટર ૧૦૧ કવટરની બાજુમાં રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.