દરરોજ ઓશો૩૬પ દિવસ ઓશો મેડીટેશન
સમજણ
'' તમે શા માટે અહી છો તે મુળભૂત પ્રશ્ન ત્યારે જ ઉકેલી સકાય જયારે તમે તમારા અસ્તીત્વના મૂળ સુધી પહોંચી જાવ તે પહેલા નહી.''
જો તમે ધ્યાનમાં ઉડાણમાં નહી જાવ તો તે સમજણ કયારેય ઉત્પન્ન નહી થાય બીજો કોઇ વ્યકિત તે તમને આપી ના શકે. તમારે જ તે પામવુ પડશે. દુષ્કર પ્રયત્નો, સંઘર્ષ અને બલીદાન દ્વારા તમારે જ તે પામવું પડશે. ત્યાર પછી જ સમસ્યાઓ અદ્રશ્ય થશે.
તમે શા માટે અહી છો તે મૂળભૂત પ્રશ્ન ત્યારે જ ઉકેલી શકાય જયારે તમે તમારા અસ્તીત્વના મુળ સુધી પહોંચો તે પહેલા નહી ઇન્દ્રમાં જઇને તમે જાણશો કે તમે હમેશાથી ત્યાં હતા. તમે અલગ-અલગ સ્વરૂપમાં હમેશાથી ત્યા હતા જ.
સ્વરૂપ બદલાતુ રહે છે પરંતુ તમે હમેશાથી ત્યા જ છો તમે અસ્તીત્વનો એક ભાગ છો નદી સાગરમાં ભળી જાય છે. અને સાગરમાંથી વાદળ બને છે વાદળ ફરીથી નદી બને છે અને નદી ફરીથી સાગરમાં ભળી જાય છે તે ચાલતુ જ રહે છે. તે ચક્ર છે. તમે ઘણીવાર અહી આવ્યા છો ખરેખર તમે અનંત કાળથી અહી છો અને તમે અનંત કાળ સુધી રહેશો અસ્તીવત્નું કોઇ શરૂઆત અને અંત નથી તે આનંદ કાળથી છે.
હું તે તમને કહી શકું પરંતુ તેનાથી સમજણ આવશે નહી જયારે તમે તમારી અંદર ઉતરશો અને જયારે તમે ેતમારા અસ્તીત્વનું સૌથી અંદરનું પડ ખોલશો અચાનક તમને એ ખબર પડશે કે તમે તો હંમેશાથી ત્યા જ છો
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬