આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ
સવાર થઇ ગઇ છે. અમે એક નદીને કિનારે છીએ. માછીઓ માછલાં પકડી રહ્યા છે. કેટલાંક પકડાયેલા માછલાં રેતીમાં તરફડે છે. આચાર્યશ્રીએ કહ્યું, ''જેમ પાણી બહાર માછલાં તરફડે છે તેમ જ પરમાત્માની બહાર માણસ તરફડે છે.''
અમે પાછાં ફરતાં હતાં, કોઇએ પૂછયું, ''આપણાં દુઃખોનું કારણ શું?'' તેમણે કહ્યું, ''દુઃખોનું નહી- દુઃખનું.'' પૂછો. કારણ ખરી રીતે ઘણાં દુઃખ નથી, દુઃખ એક જ છે. પરમાત્માની બહાર રહેવું એ જ એક માત્ર સંતાપ છે. એ આપણે જાણતાં જ નથી. દુઃખોની ભીડમાં આપણે 'દુઃખ' ભૂલી જઇએ છીએ. પછી એ 'દુઃખ'માંથી દુઃખો જન્મે છે. પરમાત્માથી દૂર રહેવું એ જ મૂળ દુઃખ છે. બાકી બધાં દુઃખો તેના સંતાન છે. કોઇ વૃક્ષનું મૂળ ન કાપતાં માત્ર ડાળોને કાપ્યે જાય અને માને કે વૃક્ષ નષ્ટ થશે એવી જ ભૂલ ''મૂળ દુઃખને'' દૂર કર્યા વિના દુઃખોને દૂર કરવાના ઉપાયમાં થાય છે.
સાંભળતાં મને લાગ્યું આ નાના નાના વચનોમાં પણ કેટલું સત્ય સમાયું છે. શું ખરેખર આપણે પાણી બહાર પડેલા માછલાંની જેમ નથી તરફડતા? આ વિચાર સાથે જ મેં આખા જગતને માછલાંની જેમ તરફડતાં અનુભવ્યાં.
મને વિચારમાં જોઇને તેમણે કહ્યું, ''વિચાર શો કરવો ? માણસ પણ સાગરના જળથી વિખૂ ટું પડેલું માછલું જ છે. ને માછી પણ તે જ છે જે તેને તરફડાવે છે, માણસ માછલીનુંને માછી બંને છે આપણા કામ અને બંધનનું કારણ આપણે જ છીએ. અને એ જ આપણી સ્વતંત્રતા તેમ જ મુકિતની આશા તથા સંભાવના છે.
આપણે જે દિવસે નિશ્ચય કરીએ તે જ દિવસે પરમાત્મા સાથે ફરી જોડાઇ શકીએ છીએ. પોતાના જ સંકલ્પથી દૂર છીએ તેથી જ પોતાના સંકલ્પથી સમીપ જઇ શકીએ છીએ. માણસની પર તંત્રતામાં જ તેની સ્વતંત્રતા પણ છુપાયેલી પડી છ.ે.''
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬