વિવિધ વિભાગ
News of Wednesday, 2nd October 2019

નોરતુ ૪થુઃ યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે

નવલી નવરાત્રીમાં મા દુર્ગા મૈયા, મહાશકિતમાની આરાધના ઉપાસના દ્વારા ગરબે ઘુમતી બાળકન્યાઓ સૂર મધુર સંગીતના તાલે, વાતાવરણ ધર્મમય બની જાય છે.

 

મા દુર્ગા શકિત સૌના દુઃખો દુર કરીને સુખ પ્રદાન કરે છે.

''મા તું કાલીને કલ્યાણી રે માં જયાં જોઉ ત્યા જોગમાયા''

રૂડે ગરબે રમે છે. દેવી અંબિકા રે લોલ... આસો માસમાં અજવાળી એકમથી નોમ સુધી નવરાત્રી પર્વની હોંશભેર ઉજવણી થાય છે આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે.

જેમાં શિશિર ઋતુમાં પોષ નવરાત્રી વસંત ઋતુમાં ચૈત્રી નવરાત્રી, ચોમાસામાં એટલે કે વર્ષઋતુમાં અષાઢી નવરાત્રી અને શરદ ઋતુની આસો માસની નવરાત્રી પર્વ, આવે છે.

આસો માસની નવરાત્રીનો મહિમા દેશભરમાં ખુબ મોટો  મહિમા ધરાવે છે.

માં દુર્ગા એટલે કે, દુર્ગતી અને દુર્ભાગ્યથી બચાવચારી દૈવી શકિત છે.

મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. મહિષાસુર મર્હિની, કુમાર દેવીના રૂપમાં છે. આ દેવીમાં વિંધ્યાવાસિની પણ છેશકિત ઉપાસનાની પ્રાચિન પરંપરા છે.

દેવતાઓની રક્ષા કાજે મહાદેવી દુર્ગા દ્વારા અનેક રાક્ષસો અને દાનવોનો સંહાર કરવામાં આવ્યો દેવી મહાત્મ્ય શ્લોક શપ્ તશતિ તરીકે ઓળખવામાં આવે છે.

મહાશકિતના રૂપમાં દુર્ગાની મૂર્તિ જોવા મળે છે. તે અતિ સુંદર હોય છે એટલે ત્રિપુટસુંદરી પણ કહેવાય છે. વિવિધ અસ્ત્રો શસ્ત્રો ધારણ કરેલ મહાદેવીનું વાહન સિંહ છે.

એમ કહે છે કે ભગવાન રામે આસો નવરાત્રીમાં દુર્ગા પૂજા કરી હતી અને દેશનો આ ઉત્સવ અનેરો છે.

દુર્ગેસ્મૃતા હરસિ ભીતીમશેષજન્તોઃ

સ્વર્સ્થેઃ સ્મૃતા મતિમતિવ શુંભાદદાસિ

દારિદ્ર-દુઃખભય હારિણી કા ત્વદન્યા,

સર્વોપકાર કરણાલ્યે સદાદ્રવિતાII

સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકેI

શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોતસ્ુતેI

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:02 am IST)