ઓશોના સુવાકયોનો અમૃત કુંભ
ધ્યાન-Meditaton
ધ્યાન કરવાથી મૌન સધાઇ જતું નથી;
ધ્યાન એક એવી પરિસ્થિતિનું સર્જન થાય છે કે,
જેમાં મૌન ઘટે છે.
તેનો માપદંડ આ પ્રમાણેનો હોવો જોઇએઃ
જીવનમાં જેવું મૌન ઘટે એટલે તરત જ
તમારામાં સ્મિત ફુટી નીકળે,
તમારી આજુબાજુ એક પ્રાણવાન ઉત્સવનો પ્રાદુર્ભાવ થાય.
પછી તમે કદી ગમગીનીથી ઘેરાશો નહીં,
તમે કદી નિરૂત્સાહ થશો નહી,
તમે કયારેય દુનિયાથી ભાગશો નહીં.
તમે આ સંસારમાં જ રહેશો,
પણ સંસારને એક ખેલ સમજશો,
એક ખૂબ સુંદર-રસિક ખેલ,
એક ભવ્ય નાટક સમજશો,
તેના પ્રત્યે કદી ગંભીરતાની દૃષ્ટિ રાખશો નહીં.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬