ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪૯
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો
બદલાવને ઓળખો
‘‘સવાર ખૂબજ નાજૂક હોય છે અને સૂર્યના નવા કિરણો વધારે તેજ નથી હોતા પરંતુ દરેક ક્ષણે તેઓ વધારે અને વધારે તેજ થતા જાય છે તેઓનું પોષણ કરો, માવજત કરો અને તેઓને ભૂતકાળ સાથે ના સરખાવો.''
આ ક્ષણે જ તમારી જાતને નવા જન્મેલા બાળક તરીકે જૂઓ રાત પુરી થઇ ગઇ છે. અને સવારે તમારો નવો જન્મ થયો છે. તે-માનવું સહેલું નહી હોય કારણ કે ભૂતકાળ ઉડે સુધી જોડાયેલ છે જો કોઇ જુની આદત આવે તો ફકત તેન ેજુઓ તેનાથી પોતાની જાતને અલગ રાખો એવી રીતે કે જાણે તે બીજા કોઇની આદત હોય, જાણે ટપાલી ખોટા સરનામા ઉપર પત્ર આપી ગયો હોય. તે તમારા માટે નથી. તેથી તેને ટપાલ વિભાગને પરત કરી દો.
મન જુની આદતોને લીધે તેના ઉપર વિશ્વાસ કરશે-કારણ કે તમને સમજતા સમય લાગશે કે સરનામું બદલાઇ ગયું છે મન ખૂબ જ ધીમે ચાલે છે. તમારૂ અચેતન મન તો એનાથી પણ ધીમે ચાલે છ.ે શરીર ખૂબ જ સુસ્ત છે. તેઓનું સમયનુ઼ ચક્ર અલગ છે.
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧