ઓશોના સુવાકયોનો અમૃત કુંભ
માતૃત્વ-Motherhood
માતૃત્વ એટલે એક પરમ ધ્યાન,
માતૃત્વ એ અસામાન્ય કળા છે;
તેમાં એક જીવંતતાનું સર્જન થાય છે,
માતાની સરખામણીમાં એક શિલ્પીની,
કોઇ વિસાત નથી, કારણ કે તે તો માત્ર
એક આરસના પૂતળાનું સર્જન કરે છે.
માતાની સરખામણીમાં એક કલાકારની કોઇ સરખામણી ન થઇ શકે
એક કવિની કોઇ તુલના થઇ શકે નહી,
એક ગાયકની ક્ષમતા નથી, એક સંગીતકાર કાંઇ નથી,
કારણ કે આ બધા (ખિલવાડ) નો સંબંધ એક પદાર્થ-વસ્તુ સાથે હોય છે,
માતા એ મોટામાં મોટી કવિ છે,
મોટામાં મોટી ચિત્રકાર છે.
મોટામાં મોટી સંગીતકાર છે.
મોટામાં મોટી શિલ્પી છે.
કારણ કે તે જીવંતતાનું સર્જન કરે છે.
તે જીવમાંથી નવા જીવનું સર્જન કરે છ.ે
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬