Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંતુષ્ટીનો ભ્રમ

''ફકત વૃદ્ધાવસ્થામાં જ સંતુષ્ટી છે. બીજા બધા જ-સંતુષ્ટીના પ્રકારો કેવળ સાંત્વનાઓ મન દ્વારા ઉત્પન્ન કરાયેલા ભ્રમ છે.''

સતત અસંતુષ્ટીમાં જીવવુ ખૂબજ દુઃખદાયક છે તેથી મન સંતુષ્ટીનો ભ્રમ પેદા કરે છે. આ ભ્રમણાઓ લોકોને ટકાવી રાખે છે જો તમે બધી જ ભ્રમણઓને દુર કરી નાખો તો વ્યકિત પાસે એક પળ પણ વધારે જીવવા માટે કારણ નહી હોય અજાગૃત અવસ્થામાં ભ્રમણાઓ જરૂરી છે કારણ કે ભ્રમણાઓ-દ્વારા જ આપણે જીવનનું કાલ્પનીક અર્થ સમજીએ છીએ આપણે આ કાલ્પનીક અર્થ ઉત્પન્ન કરવા જ પડશે. જયારે આપણો એક કાલ્પનીક અર્થથી થાકી જઇએ છીએ આપણે બીજો અર્થ ઉત્પન્ન કરી લઇએ છીએ જયારે આપણે પૈસાથી થાકી જઇએ છીએ ત્યારે રાજકારણમાં જઇએ છીએ જયારે-રાજકારણથી થાકી જઇએ ત્યારે બીજુ કંઇક શોધીએ છીએ કહેવાતા ધર્મો પણ બીજુ કઇ નહી પરંતુ એક ભ્રમ છે.

સાચા ધર્મને આ કહેવાતા ધર્મ-ખ્રીસ્તી, હીન્દુ, ઇસ્લામ-વગેરે સાથે કઇ લેવા દેવા નથી બધીજ ભ્રમણાઓને તોડવાથી જ સાચો ધર્મ ઉત્પન્ન થાય છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(9:31 am IST)