Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 બે દરવાજાઓ

'સત્ય અને ભ્રમ વચ્ચે પસંદગી કરવાનો સવાલ નથી કારણ કે બહારના બધા દરવાજાઓ તમને ભ્રમ તરફ લઇ જાય છે.'

સત્ય તમારી અંદર છે તે ખોજોના હૃદયમાં જ છે તેથી જો એક દરવાજા ઉપર ''ભ્રમ'' લખેલુ હોય અને બીજા દરવાજા ઉપર ''સત્ય'' લખેલુ હોય, બંને વચ્ચે પસંદગી કરવાની ચીંતા ના કરો બંને ભ્રામક છે. તમે સત્ય છો તમારી જાગૃતતા જ સત્ય છે.

વધારે સચેત અને જાગૃત બનો દરવાજાઓ વચ્ચે પસંદગી-કરવાનો પ્રશ્ન નથી. ત્યા અંધકાર છે કારણ કે તમે જાગૃત નથી તેવી બહારનો કોઇપણ પ્રકાશ તમને મદદ નહી કરી શકે. હુ તમને અત્યારે જ જયોતી આપી શકુ પરંતુ તે મદદ નહી કરે. તમે તમારા રૂમમાં - પહો઼ચશો ત્યા સુધીમાં તે જતી રહેશે.

તમારે વધારે અને વધારે જાગૃત અને સચેત બનવું પડશે જેથી તમારી અંદરની જયોતી તમારા આસપાસના વાતાવરણને રોશન કરે તે રોશનીમાં તમે જોશો કે બધા જ દરવાજાઓ અદ્રશ્ય થઇ ગયા ભ્રમ અને સત્ય બંને દરવાજાઓ અદ્રશ્ય થઇ ગયા તેઓ બંને ષડયંત્રનો ભાગ હતા. હકીકતમાં તેઓ બંને એક જ જગ્યાએ લઇ જતા હતા તેઓ ફકત તમને પસંદ કરવાની ભ્રમણા આવતા હતા. તેથી તમે કઇપણ પસંદ કરો. તમે હમેશા એક જ વસ્તુને પસંદ કરતા હતા આખરે તો તમે ભ્રમમાં જ સમાપ્ત થતા હતા. ભ્રમમાં પહોંચવું સમસ્યા નથી સમસ્યા છે વધારે અને વધારે સચેત કેમ બનવું.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:59 am IST)