Gujarati News

Gujarati News

News of Thursday, 17th December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શકતી

''કોઇ વ્યકિતને આશ્રય અને સુરક્ષા લેવાની આદત હોઇ શકે છે પરંતુ તે તમને શકતી નથી આપતુ શકતી હંમેશા ત્યારે જ આવે છે જયારે તમે ખરાબ પરીસ્થિતીઓનો સામનો કરો''

જુના દિવસોમાં લોકો હિમાલય ઉપર કે ગુફાઓમાં જતા રહેતા અને એક પ્રકારની શાંતિને પામતા પરંતુ એ શાંતી ઉતરતી કક્ષાની છે. કારણ કે જયારે આ લોકો ફરીથી સમાજમાં આવે છે, તે શાંતી તરત જ વીખેરાઇ જાય છે તેની શાંતી એટલી નાજુક છે કે તેઓને - સમાજની બીક લાગે છે તેથી તેઓનું અલગ પડવું એ બચાવનો એક રસ્તો છે, વિકાસ નથી.

એકલા રહેતા શીખો પરંતુ તમારી એકલતાનું વળગણના થઇ જાય બીજા સાથે સબંધ રાખવા માટે પણ શકતીમાન રહો ધ્યાન રાખો પરંતુ એટલા બધા દુર ના જતા રહો કે પ્રેમ કરવા માટે પણ શકતીમાન ના રહો શાંત બનો સ્થીર બનો પરંતુ તમારી સ્થીરતા સાથેચીટકી ના જાવ નહીતમ તમે સમાજનો સામનો નહી કરી શકો.

જયારે તમે એકલા હોય ત્યારે શાંતિ રહેવુ સહેલુ છે. જયારે તમે લોકો સાથે હો ત્યારે શાંત રહેવું અઘરૂ છે. પરંતુ આ તકલીફનો સામનો કરવાનો છે એકવાર તમે લોકોના વચ્ચે શાંત રહેતા શીખી જશો તો પછી તમને કોઇ બીચલીત નહી કરી શકે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:34 am IST)