Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

શ્રાવણ સત્સંગ

સૃષ્ટિના કલ્યાણ અર્થે મહાકાલે વિષધારણ કર્યું

દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ ના ગળામાં સર્પ છે ત્રિશૂલ અને ડમરુ ધારી છે પરમાત્મા આશુતોષ ે તેમની એક ઓળખ સ્થાણુ તરીકેની છે. સ્થાણુએટલે કે સ્થિર અનેઅચળ

દ્યણીવાર ઈશ્વર વિશે વિચારનારા રામ પાસે કૃષ્ણ પાસે કે પછી શિવ પાસે અથવા તો અન્ય દેવો પાસે જતા જણાય છે રામ કૃષ્ણ અને શિવજી આ ત્રણેયમાં એક એવું ચાલકબળ છે જયાં હજારો વર્ષથી ભારતીય ચેતના તેને વંદન કરે છે

તેમાંય ભોળાનાથ મહાદેવ તો છવાયેલા રહ્યા છે તે નિસ્પૃહ છે દયનીય છે દર્શનીય છે શિવ લઇને વિસ્તર્યા છેે જયારે રામ સત્યને લઈને આગળ વધ્યા છે તો કૃષ્ણ સુંદર ને લઈને આગળ વધ્યા છે શાસ્ત્રોમાં ૩૦ કરોડ દેવતાઓમાં શિવજીને દેવ નહીં પણ મહાદેવ તરીકે બિરાજવા માં આવ્યા છે

એક સમયે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર કમળના પુષ્પો પૂજા કરતા હતા એ સમયે ભોળાનાથ મહાદેવ ને તેમની પરીક્ષા લેવાનું મન થયું અને ભોળાનાથે એક કમળ અદ્રશ્ય કરી દીધું ત્યારે એક કમળ ઓછું થતાં ભગવાન વિષ્ણુ કમળ ની જગ્યાએ પોતાની આંખ જણાવવા તૈયાર થઈ ગયા ત્યારે દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને વિષ્ણુને એક ચક્ર આપ્યું જે ચક્રવતી વૈષ્ણવ અને તેમના અવતાર સમા ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર અધર્મનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી સમુદ્ર મંથન વખતે નીકળેલું ઝેર મહાકાલ મહાદેવેજ ધારણ કરેલું આથી તો તેઓ નીલકંઠ કહેવાયા . પવિત્ર શ્રાવણ માસમાં જપ મંત્ર સાથે રુદ્રાભિષેક કરવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે શ્રાવણના પ્રત્યેક સોમવારે પૂરી અંતરની શ્રદ્ઘા અને વિશ્વાસ સાથે ભોળાનાથની ઉપાસના કરવાથી અને સોમવારે ઉપવાસ કરી મનથી પવિત્ર બની વિધિપૂર્વક ભોળાનાથની પૂજા પ્રાર્થના કરવાથી ઉપાસક નું જીવન સુખમય બને છે અને તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:58 am IST)