Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

મૃત્યુ

''મૃત્યુમા કઇ જ ખોટુ નથી જ્યારે પણ તે ઘટશે તે એક સંપૂર્ણ આરામ આપશે.''

જ્યારે તમારૂ શરીર સંપૂર્ણપણે વપરાઇ જશે તો એક જ વસ્તુની જરૂર પડશે જે મૃત્યુ છે પછી તે ઘટશે, પછી તમે બીજા શરીરમાં સ્થળાંતરીત થશો. તમે કદાચ વૃક્ષ-અથવા પક્ષી અથવા વાઘ અથવા બીજુ કઇપણ બની જશો અને તમે આગળ વધશો અસ્તીત્વ તમને એક નવુ શરીર આપે છે.જયારે જુનુ વપરાઇ જાય છે.

મૃત્યુ સુંદર છે. પરંતુ કયારેય તેની માંગ નહી કરો કારણ કે જયારે તમે એની માંગ કરો છો તો મૃત્યુની ગુણવતા આત્મહત્યામાં ફેરવાઇ જાય છે પછી તે પ્રાકૃતિક મૃત્યુ નથી રહેતું તમે કદાચ આત્મહત્યા નહી કરો પરંતુ મૃત્યુની માંગ પણ આત્મહત્યા બરાબર છે જ્યારે જીવો છો. જીવંત બની રહો. જયારે મરશો, મૃત બની જાઓ પરંતુ બંનેને એકબીજા સાથે ભેળવો નહી એવા પણ લોકો છે જેઓ મરી રહ્યા છે.- અને છતાપણ જીવનને વળગી રહ્યા છે. તે પણ ખોટુ છે. કારણ કે જ્યારે મૃત્યુ આવ છે. ત્યારે તમારે જવુ જ જોઇએ અને તમારે નાચતા-નાચતા જવુ જોઇએ જો તમે મૃત્યુની માંગ કરો છો અથવા તેના વિશે વિચારો છો તો તમે જીવંત છો તો તમે જીવંત છો છતા પણ મૃત્યુને વળગી રહ્યા છો તે પણ બરાબર નથી આ અસ્વીકારની ભાવના છ.ે

જે કઇપણ છે તેનો સ્વીકાર કરો અને એકવાર તમે કોઇપણ શરત વગર સ્વીકાર કરશો તો બધુ જ સુંદર બની જશે દર્દમાં પણ શુદ્ધ થવાની અસર છ.ે તેથી જે કઇપણ તમને મળે તેના માટે ફકત આભારી બની રહો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ

ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:19 am IST)