Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રવિવારે નોરતુ ૧લું : યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

આવતિકાલથી નવરાત્રી પ્રારંભ : આદ્યશકિતની આરાધના નવરાત્રી પર્વમાં તપ સાધના

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્યસાધિકે શરણ્યે ત્રબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે

નવલી નવરાત્રીમાં જીવનમાં શુદ્ધિ પવિત્રતા અને તપ સાધના કરવામાં આવે તો જગત જનની આદ્યશકિત મા અતિ પ્રસન્ન થાય છે.

નવરાત્રીના નવેય દિવસ ભકતજન પૂજા પ્રાર્થના અનુષ્ઠાન કરી શકે છે. સાથોસાથ સાધનાત્મક પુરૂષાર્થ પણ કરી શકે , અને સાધનાત્મક પુરૂષાર્થમાં નવરાત્રી સાધનાનું વિશેષ મહત્વ રહેલું છે.

કોઇપણ સાધનાનો મુળ ઉદ્ેશ માનવીય વ્યકિતત્વની શુદ્ધિ માટેનો જ હોય છે. આ સિદ્ધાંત આપણા વ્યકિતત્વની શુદ્ધિ પર પણ લાગુ પડી શકે.

આપણા પૂરાણા કર્મોઃ પૂર્વ જન્મના કર્મોના નિવારણની તથા શુદ્ધિની વ્યવસ્થા કરવામાં આવે છ.ે પરમકૃપાળુ મા જગતજનની પાસે ખરાબ કર્મો અને પાપોની માફી માગવી પડે છે.

કર્મોના નિવારણ અર્થે પ્રાયશ્ચિત તપ વિધાનથી રંગવાનો અર્થ યોગ સાધના તથા જપ દીપ દ્વારા શુદ્ધિ એવો થાય છે. અને પછી જ જગત જનની મા નો રંગ અધ્યાત્મનો રંગ આપણી પર ચડી શકે.

વ્યકિતત્વની સફાઇ જે નવરાત્રી સાધનાનો મૂળ ઉદ્દેશય છે આપણું કામ આપણા દ્વારા પહેલા કરેલા કુકર્મોનું પ્રાયશ્ચિત કરવાનું છે.

એકવાર આપણે ખરાબ કર્મોથી મુકત બનીએ પછી શ્રેષ્ઠ માર્ગે ચાલવાનું પ્રણ લઇને એ માર્ગ પર આગળ વધીએ.

નવરાત્રી સાધનાના નવ દિવસ માટે સાધક ઇચ્છે તો પરમ પૂજ્ય ગુરૂદેવે ગાયત્રી મહાવિજ્ઞાનમાં બાર તપ વર્ણવેલા છે. એમાંથી એકાદ પસંદ કરી અમલમાં મકી શકાય.

આ તપમાં અસ્વાદ વ્રત તિતિક્ષા તપ કર્ષણ તપ, ઉપવાસ, ગવ્યકર્લ્ય તપ પ્રદાતત્ય તપ, નિષ્કામ તપ, સાધના તપ, બ્રહ્મચર્યતપ ચંદ્રાયણ તપ, મૌન તપ, તથા અર્જન તપ આવે છે.

આમાંથી એકાદ પસંદ કરીને નવરાત્રી પર્વ દરમ્યાન પાળવુ જોઇએ.

સાધનાત્મક પુરૂષાર્થમાં તેની તુલના લોકકલ્યણના કાર્યો સાથે કરવામાં આવે છેએનો ઉદ્ેશ ઋણમાંથી મુકત કરવાનો છે. સમાજનું  ઋણ આપણા પર છે. એ ઋણમાંથી મુકત થવું આને પ્રાપશ્ચિત તપ સાધના કહેવામાં આવે છે. ધ્યાનથી જોઇએ તો આ ભાવ સાથે કરેલી તપ સાધના આપણા જીવનમાં પવિત્રતા પરિશોધન અનુ શુદ્ધ આ ત્રણેય ઉદેશ્યો પૂર્ણ કરે છે. અને આપણો આંતરીક કાયાકલ્પ થાય છે.

જયંતિ મંગલ, કાલી, મ.કાલી કપાલિની દુર્ગાક્ષમા શિવાધાત્રી સ્વાહા, સ્વધાનમાં નમોસ્તુતે II

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(8:48 am IST)