Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સુષુપ્ત

''કયારેક તમે સુષુપ્ત હોવ છો, તમે હોતા જ નથી. કોઇ જ સમસ્યા ઉત્પન્ન નથી કરતા. જયારે સુષુપ્ત છો ત્યારે સુષુપ્ત રહો અને તેના માટે કોઇ અપરાધભાવ મહેસુસ ના કરો''

ચોવીસેય કલાક ક્રિયાશીલ રહેવું જરૂરી નથી. તે તમને થકવી દેશે. વ્યકિતને થોડા આરામની પણ જરૂર છે. જયારે તમે સુષુપ્ત છો ઉર્જા અંદરની તરફ વહે છે. જયારે તમે ક્રિયાશીલ છો ત્યારે ઉર્જા બહારની તરફ વહે છે અલબત બીજા લોકો તમે હમેશા ક્રિયાશીલ રહો તેવું પસંદ કરશે કારણ કે તો જ તમારી ઉર્જા તેમના તરફ વહેશે જયારે તમે સુષુપ્ત છો ત્યારે તમારી ઉર્જા તેમના તરફ નથી વહેતી તેથી તેઓની લાગણી દુભાશે. તેઓ તમને કહેશે કે તમે સુષુપ્ત છો પરંતુ નીર્ણય તમારે લેવાનો છે.

આ સુષુપ્ત અવસ્થામા તમે તમારી અંદર જાઓ છો. આ ધ્યાનની પળો છે. તેથી આ મારી સલાહ છે- જયારે તમે સુષુપ્ત અનુભવો, સબંધોના અને લોકો માટેના બધા દરવાજા બંધ કરી દો. તમે સુષુપ્ત છો તેવુ અનુભવો, ઘરે જાવ અને ધ્યાન કરો. ધ્યાન કરવાની આ જ સાચી પળ છે. જયારે ઉર્જા અંદરની તરફ વહે છે. ત્યારે તમે તેની ઉપર સવાર થઇને તમારા અસ્તીત્વના સૌથી અંદરના આયામ સુધી પહોંચી શકો છો ત્યાં કોઇ જ લડાઇ નથી તમારે ઉર્જા સાથેફકત વહેવાનું છે અને જયારે તમે ક્રિયાશીલ અનુભવ કરો ત્યારે બહાર આવી જાવ ધ્યાનને ભુલી જાવ પ્રેમાળ બનો..બંને અવસ્થાનો ઉપયોગ કરો અને તેના વીશે ચીંતા નહી કરો.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:22 am IST)