Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

જીવન સરળ છે

''જીવન ખૂબજ સરળ છે. વૃક્ષો પણ તેને જીવે છે, તે સરળ હોવુ જ જોઇએ. આ શા માટે તે આપણા માટે જટીલ બની ગયુંછે? કારણ કે આપણે તેના સીદ્ધાંતો બનાવી શકીએ છીએ.''

જીવનમાં તિવ્રતા અને ઉન્માદના ક્ષણોમાં તમારે જીવનનું બધુ જ તત્વજ્ઞાન છોડી દેવુ જોઇએ નહીંતર તમે તમારા શબ્દોથી ઘેરાયેલા રહેશો.

તમે કાનખજુરા વિશેની પ્રખ્યાત વાર્તા સાંભળી છે ? તે એક સુંદર સવાર હતી અને કાનખજુરો ખૂબજ ખુશ હતો અને મનમાં ગણગણતો હતો તે સવારની તાજી હવામાં મદમસ્ત હતો. તેની બાજુમાં બેસેલો દેડકો ગુંચવણમાં હતો તે જરૂરથી તત્વજ્ઞાની જ હશે તેણે કહ્યું ''ઉભો રહે! તુ તો જાદુ કરે છે.સો પગ ! તુ કઇ રીતે સંભાળેછે ? કયાં પગ પહેલો આવે છે. કયો પગ બીજો, ત્રીજો અને પછીના ક્રમે આવે છે. તને ગુંચવણ નથી થતી ? તુ કઇ રીતે સંભાળે છે ? મારા માટે તો તે અશકય છે.'' કાનખજુરાએ કહ્યું ''મે કયારેય તેના ઉપર વિચાયુંર્ નથી મને વિચારવા દે'' અને ત્યા ઉભા-ઉભા જ તે ધ્રુજવા લાગ્યો અને જમીન પર પડી ગયો તે ખૂબજ ગુંચવણમાં મુકાઇ ગયો-સો પગ ! તે કઇ રીતે તેને સંભાળી શકશે!

તત્વજ્ઞાન લોકોને પંગુ બનાવી દે છે જીવનને તત્વજ્ઞાનની જરૂર જ નથી જીવન પોતાના માજ પુરતુ છે તેને કોઇ આધારાની જરૂર નથી તેને કોઇ ટેકાની જરૂર નથી તે પોતાનામાં જ પુરતું છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:02 am IST)