Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

તમારા સ્વપ્નોને મીત્ર બનાવો

''સ્વપ્ન સાથે મીત્રતા કેળવવાનું શીખો સ્વપ્નો તમારા અચેતન મન સાથેનો વાર્તાલાપ છે. અચેતનનો તમારા માટે સંદેશ છે તે તમારા ચેતન મન સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કરે છે.''

સ્વપ્નોને સમજવા માટે પૃથ્થકરણ કરવાની જરૂર નથી કારણ કે જો તમે સ્વપ્નોનું પૃથ્થકરણ કરશો તો ચેતન મન ફરીથી હાવી થઇ જશે તે પૃથ્થકરણ કરી અર્થો કાઢવાની કોશીષ કરશે કે જે અચેતન મન કાવ્યાત્મક ભાષાનો -ઉપયોગ કરે છે અર્થ ખૂબ જ સુક્ષ્મ હોય છે તે પૃથ્થકરણ દ્વારા ના મળી શકે જો તમે સ્વપ્નની ભાષા શીખવાની શરૂઆત કરો તો. જ તે મળી શકે તેથી પ્રથમ કદમ છે સ્વપ્નો સાથે મીત્રતા કેળવો.

જયારે તમને કોઇ સ્વપ્ન કીમતી લાગે-કદાચ તે હિંસક-દુ-સ્વપ્ન પણ હોઇ શકે, પરંતુ તમને એવું લાગે કે તેમાં કંઇક અગત્યાનું છે.-સુધારે અથવા તો અડધી રાતે પણ, તમે તે સ્વપ્નને ભુલી જાઓ તે પહેલા તમારી પથારીના આંખ બંધ કરીને બેસી જાવ સ્વપ્ન સાથે મીત્રતા કેળવો. ફકત તેને કહોઃ ''હું તારી સાથે છુ અનેહું તારી સાથે આવવા તૈયાર છું તુ મને જયાં પણ લઇ જવા માગતું હોય ત્યા લઇ જા હું ઉપ્લબ્ધ છું'' માત્ર સ્વપ્નને શરણ થઇ જાવ તમારી આંખો બંધ કરો અને તેની સાથે જાવ, તેને માણો, સ્વપ્નને પુરેપુરૂ ખૂલી જવા દો તમને આશ્ચર્ય થશે કે તમારા સ્વપ્નમાં કેટલો ખજાનો છુપાયેલો છે અને તમે જોશો કે તે બધુ જ ખોલતું જાય છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(9:23 am IST)