Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શરણાગતી સ્વીકારવા

''અંદરથી તમે સંપૂર્ણ શરણાગતી સ્વીકારવા માગો છો કે જયા તમારી બધી જ ચીંતાઓ વીસર્જીત થઇ જાય અને તમે વિશ્રામ કરી શકો પરંતુ તમને બીક લાગે છે. બધાને શરણાગતી સ્વીકારવામાં બીક લાગે છે.''

સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે આપણે કોઇક-છીએ - આપણે કઇ જ નથી. તમારી પાસે ત્યાગ કરવા માટે શું છે?- ફકત એક ખોટો અહંકાર, એવો વિચાર કે તમે કોઇક છો તે કાલ્પનીક છે. જયારે તમે કલ્પનાને ત્યાગી દેશો ત્યારે તમે વાસ્તવીક બની જશો પરંતુ આપણે તેને વળગી રહીએ છીએ-કારણ કે આખી જીંદગી આપણને લડતા રહેવાનું શીખવાડવામાં આવ્યું છે જાણે આખી જીંદગી બચવા માટેનો એક સંઘર્ષ હોય.

શરણાગતી સ્વીકારવાથી જ જીવનને સમજી શકાય પછી તમે લડવાનું બંધ કરશો અને માણવાની શરૂઆત કરશો પરંતુ પક્ષીમાત્ર અંહકારનો ખ્યાલ ખૂબજ પ્રબળ છે. અને દરેક વ્યકિત કઇક- જીતવાની કોશીષ કરી રહ્યો છે. લોકો કુદરતને પણ જીતવાની વાતો કરે છેઃ નરી મુર્ખતા જ છે! આપણે તેનો નાશ કરી શકીએ, તેને જીતી ના શકીએ તેથી જ પ્રકૃતિનો ધીમે-ધીમે વીનાશ થતો જાય છે. સમગ્ર વાતાવરણ ખરાબ થતુ જાય છે.

જીતવા માટે ખરેખર કઇ જ નથી. ખરેખર તો વ્યકિતને પ્રકૃતિ સાથે વહેવુ જોઇએ અને પ્રકૃતિને રહેવા દેવી જોઇએ.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:34 am IST)