Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021
હાજી અબ્બાસભાઈ ગાંધી (પસ્તીવાળા) જન્નતનશીઃ કાલે જયારતના સીપારા

રાજકોટઃ હાજી અબ્બાસભાઈ કમરૂદીન ગાંધી (પસ્તીવાળા) (ઉ.વ.૮૭) તે હોઝેફાભાઈ ગાંધી (પસ્તીવાળા), જુમાનાબેન ફીરોઝભાઈ બતીવાલા (ભાવનગર), દુરીયાબેન યુસુફભાઈ છતરીયા (મહુવા)ના પિતા, સલમાબેન હાતીમભાઈ ભારમલ (જામખંભાળીયા), મરહુમ એહમદઅલી કમરૂદ્દીન, મરહુમ ઈસ્માઈલભાઈ કમરૂદ્દીન અને મરહુમ કલીમુદ્દીનભાઈ કમરૂદ્દીનના ભાઈ તા.૩૦ના  ૨૬મી જુમાદીલઅવ્વલ ગુરૂવારના રોજ ખુદાતાલાની રહેમતમાં પહોંચી ગયા છે. મરહુમના જયારતના સયુમના સીપારા તા.૧ જાન્યુ.ના ૨૮મી જમાદીલ અવ્વલ શનિવારના રોજ બપોરે ૧:૩૦ વાગ્યે, એ-વન કેટરર્સ, સદર બજાર- રાજકોટ મુકામે રાખેલ છે. બાલાજી પસ્તીભંડાર મો.૯૮૨૫૨ ૫૮૩૦૫

હેમંતગીરી ગોસાઇનું દુઃખદ અવસાનઃ કાલે સાંજે ૪ થી ૬ પ્રાર્થનાસભા નિવૃત સેલ્સટેકસ ઇન્સ્પેકટર

રાજકોટઃ સ્વ. હેમંતગીરી ખુશાલગીરી ગોસાઇ (નિવૃત સેલટેકસ ઇન્સ્પેકટર) તે દુર્ગાબેનના પતિ, અરૂણભાઇ, ડો. કમલેશભાઇ, પરાગભાઇ (વર્લ્ડફેમ માર્કેટીંગવાળા) તથા પલ્વીબેનના પિતાશ્રી  તથા ડો. અતુલકુમાર ગોસ્વામીના સસરાનું તા.૩૦ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા કાલે તા.૧ જાન્યુઆરી સાંજે ૪ થી ૬ કલાકે બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટ ફાટક પાસે વિવેકાનંદ નગર સોસાયટી મેઇન રોડ, રેસકોર્ષ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ધનગૌરીબેન ગોહેલ

રાજકોટઃ વાણંદ ગામ નિકાવા (હાલ રાજકોટ) રમણીકભાઇ વલ્લભભાઇ ગોહેલના ધર્મપત્નિ ધનગૌરીબેન (ભાવનાબેન) તેઓ શૈલેષભાઇ તથા વિજયભાઇના માતુશ્રી તથા હસુભાઇ જીતુભાઇ તથા સ્વ. વિનુભાઇના ભાભી તા.૩૦ના રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૩ને સોમવારે સાંજે ૪ થી ૬ માનસરોવર મહાદેવ મંદિર, માનસરોવર પાર્ક શેરી નં.૧, આજીડેમ ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે. શૈલેષભાઇ ૯૨૨૭૫ ૫૮૧૮૭, વિજયભાઇ ૮૮૪૯૫ ૬૫૫૩૮ (૪૦.૧૫)

દિગંતભાઈ ધોળકીયા

રાજકોટઃ દિગંતભાઈ હરપ્રસાદભાઈ ધોળકીયા (ઉ.વ.૬૫) તે સ્વ.નલીનભાઈ, જયંતભાઈ, સ્વ.ભાલચંદ્રભાઈ, સ્વ.તરૂણભાઈ, ગં.સ્વ.તરંગીનીબેન દિનેશભાઈ રિંડાણી, સ્વ.મંજરીબેન રાજેન્દ્રભાઈ માંકડના નાનાભાઈ તથા  ભાવિન (રેમન્ડ) અને નિમિષા મૃગેશભાઈ વૈષ્ણવ (આદિપુર)ના પિતાજી, સ્વ.યોગીનીબેન પતિ, નિશા ભાવિન ધોળકીયાના સસરા તેમજ વિશ્વેશ અને સમીરના કાકા, હેત, મૌલિક અને ઝીલના દાદા, માનસના નાના અને હરિરામ જુગતરામ ઓઝાના જમાઈનું તા.૨૯ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, રૈયા રોડ, પેટ્રોલ પંપની સામેની ગલી, રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૩)

કાંતિલાલભાઇ કતીરા

માળીયા હાટીનાઃ સ્વ. બચુભાઇ રામજીભાઇ પોપટના જમાઇ કાંતિલાલભાઇ વિઠ્ઠલભાઇ કતીરા (ઉ.વ.૭૪) રાજકોટવાળા તે દિલીપભાઇ, સુરેશભાઇ (જુનાગઢ) ભરતભાઇ (જલારામ ફરસાણ) તથા સ્વ. જયેશભાઇ તથા સ્વ. સંજયભાઇના બનેવીનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે સાદડી તા. ૧ શનિવારે સાંજે ૪ થી ૬ લોહાણા મહાજનવાડી માળીયા હાટીના રાખેલ છે.

નિધિબેન વ્યાસ

ગોંડલ : નિધિબેન પ્રીતેશભાઇ વ્યાસ (ઉ.વ.રપ), તે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રિતેશભાઇ જે. વ્યાસનાં ધર્મપત્ની તથા જે. કે. વ્યાસનાં પુત્રવધુનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧ ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને સમય સાંજે ૪ થી ૬ સુખનાથ મહાદેવ મંદિર, સુખનાથનગર ગોંડલ રાખેલ છે.