Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018
મેકડાના અગ્રણી શ્રી નાનાભાઇ પટગીરના ધર્મપત્નીનું દુઃખદ નિધન

વેળાવદરઃ સાવરકુંડલાના મેકડાના પૂર્વસરપંચ તથા એસ.ટી. યુનિયન, કાઠી સમાજના અગ્રણી શ્રી નાનાભાઇ એ. પટગીરના ધર્મપત્ની શ્રી રાયબાબેન ઉ.વ.૬૫નું તા. ૨૯/૦૫/૧૮ને મંગળવારના રોજ દુઃખદ નિધન થયેલ છે. તેમના પુત્ર શ્રી હરેશભાઇ વંડાના અગ્રણી વેપારી છે. સ્વ. ની ઉતરક્રિયા ૮/૬/૧૮ ના રોજ મેકડા ખાતે રાખેલ છે.

 મેેકડા, વંડાના કાઠી સમાજ વેપારીવર્ગમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગયેલ છે.

મોરબીના અગ્રણી સ્વ.ગીરધરલાલ હિરાણીના પત્નિની કાલે સાદડી-ઉઠમણું

મોરબીઃ અત્રેના એક સમયના રઘુવંશી તથા વેપારી અગ્રણી સ્વ. ગીરધરલાલ મોતીલાલ હિરાણીના ધર્મપત્નિ કુસુમબેન તે દિલીપભાઈ, હર્ષદભાઈ, સ્વ. શશીકાંતભાઈ, ચેતનભાઈ, હરેશભાઈ તથા ઈલાબેનના માતુશ્રી તથા આનંદકુમાર દક્ષિણીના સાસુ તથા રાધે અને તિર્થના દાદી તા. ૨૯ને શુક્રવારે સાંજે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા. ૧ જૂનને શુક્રવારે સાંજે ૫.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ખારાકુવા શેરી, જૂના બસ સ્ટેશન મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

 શારદાબેન લશ્કરી

રાજકોટઃ ગં.સ્વ. શારદાબેન બાવનદાસબાપુ લશ્કરી (થોરખાણ) તે હિતેષભાઇ (ચેરમેન અવધ કો. ઓપ. સોસા) જયસુખભાઇ (થોરખાણ) કિરીટભાઇ (મુંબઇ) તથા અશોકભાઇ (ચેરમેન માંડવરાયજી કો.ઓપ.સોસા/ સંુદરમ્ સીટી)ના માતુશ્રી નું તા.૨૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨ શનિવારે સાંજે ૫ થી ૭ રાષ્ટ્રીયશાળા ખાતે રાખેલ છે.

 અરવિંદભાઇ વેકરીયા

રાજકોટઃ ગુર્જર  સુથાર મુ. પડધરી હાલ રાજકોટ નિવાસી સ્વ. કાંતિભાઇ ખીમજીભાઇ વેકરીયાના જયેષ્ઠ પુત્ર અરવિંદભાઇ કાંતિભાઇ વેકરીયા તે ભરતભાઇ તથા અશોકભાઇના મોટાભાઇ રાધીકાબેન જયદિપકુમાર બકરાણીયાના પીતાશ્રી તેમજ જામખંભાળીયાવાળા સ્વ. ભગવાનજીભાઇ કાનજીભાઇ દુધૈયાના જમાઇનું તા.૩૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુું તા.૧ ને શુક્રવારે સાંજે ૫ થી ૬:૩૦ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર ખાતે રાખેલ છે.

જીજ્ઞાશાબેન વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ પ્રફુલચંદ્ર એમ. વ્યાસ (રાજકોટ હાલ ગાંધીનગર)ના પુત્રવધૂ અને સ્વ. ચેતનભાઇના પત્નિ જીજ્ઞાશાબેન (ઉ.વ.૫૧) તેમજ મોૈલિનભાઇના માતુશ્રી અને પ્રવિણભાઇ લાભશંકર ઉપાધ્યાય (ધોરાજીવાળા)ના પુત્રી તેમજ નિમિષાબેન નિરજભાઇ વ્યાસ (રાજકોટ)ના મોટાબેનનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૧/૬ના સાંજે પ થી ૭ અન્નપૂર્ણા મહાદેવ મંદિર, ગુણાતિત નગર સામે દોશી હોસ્પિટલ રોડ ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

યશવંતરાયભાઇ પાઠક

ભાવનગર : સિંહોર હાલ ભાવનગર નિવાસી યશવંતરાય ગુલાબરાય પાઠક (ઉ.વ.૭૭, નિવૃત પાણી પુરવઠા બોર્ડ) તે ચંદ્રિકાબેનના પતિ, ધર્મેન્દ્ર પાઠક (ચિફ રિપોર્ટર,) ચાંદની (ચૈતાલી) ભટ્ટના પિતા, પારૂલ પાઠક, રૂત્વિકભાઇ ભટ્ટના શ્વસુર, સ્વ. રજનીભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. જસુબેન, સ્વ. તરૂબેન, રસુબેન વિષ્ણુપ્રસાદ ભટ્ટના ભાઇ, નિખિલ પાઠક, દિપક પાઠક, રાજેશ પાઠક, જાગૃતિ પાઠક, પારૂલ ભટ્ટ, રૂપા શુકલ, નિતા પંડ્યા, કોમલ પરમારના કાકા, સ્વ. શામજીભાઇ ડી. ભટ્ટના જમાઇ મંગળભાઇ ભટ્ટ, સ્વ. બકુલાબેન, તરલિકાબેનના બનેવી, કમળાશંકર ભટ્ટ, ગજાનન ભટ્ટ, બાબુભાઇ ભટ્ટના ભાણેજ તા. ૨૮મી એ સ્વર્ગવાસ થયો છે. બેસણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, ગીતા ચોક, ભાવનગર ખાતે શ્વસુર પક્ષ અને મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

બાલકૃષ્ણભાઇ તેરૈયા

જૂનાગઢ : બાલકૃષ્ણભાઇ એમ. તેરૈયા (ઉ.વ.૭૦) જે ચંદ્રિકાબેન જે. જોષી (બિલખા) જગદીશભાઇ એમ. તેરૈયા (જૂનાગઢ) નાં મોટાભાઇ તથા દિલીપકુમાર વેગડા, (બગસરા) તથા અલ્પેશકુમાર રવિયા (રાજકોટ)ના સસરા તથા કેતનભાઇ બી. તેરૈયા ના પિતાશ્રી નું તા. ૩૦મીએ અવસાન થયુ છે. બેસણું તા. ૦૧ ના રોજ શુક્રવાર સમય : સાંજે ૫ થી ૬ દેવનાથ મહાદેવ ખ્રામધોળ રોડ ખોડિયાર મંદિર પાછળ જૂનાગઢ રાખેલ છે.

હરકિશનભાઇ માવાણી

જૂનાગઢ : વણિક જૈન હરકિશનભાઇ મનસુખલાલ માવાણી (ઉ.વ.૭૩) તે હિતેશભાઇ, હરેશભાઇ, વિમલભાઇ, (પ્રિન્સ જીમ) અને રાખીબેન મનોજભાઇ દોશીના પિતાનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૪ના રોજ સવારે ૧૦ થી ૧૧ કલાકે જૈનભવન, જગમાલ ચોક જૂનાગઢ ખાતે રાખેલ છે.

હેમેન્દ્રભાઇ પોપટ

રાજકોટઃ નિવાસી સ્વ. ડો. સી.વી. પોપટના પુત્ર હેમેન્દ્રભાઇ સી. પોપટ (ઉ.વ.૬૬) તે સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મહેશભાઇ, સ્વ. ભુપેન્દ્રભાઇ તથા શ્રી હર્ષદભાઇ તેમજ ઉષાબેનના ભાઇ તથા ગૌરાંગભાઇ તથા જુલીબેનના પિતાશ્રી તેમજ સલિયાબાળાવાળા સ્વ. છગનલાલ વાલજીભાઇ સોનછાત્રાના જમાઇનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૧ શુક્રવારના રોજ સાંજે ૫ થી૬ પ્રગતિ સોસાયટી કોમ્યુનિટી હોલ, રૈયા રોડ ખાતે રાખેલ છે.

 હરેશભાઇ ઠાકર

રાજકોટઃ જામનગર નિવાસી શ્રી હરેશભાઇ છગનલાલ ઠાકર (ઔદિચ્ચ ઝાલાવાડી) તે સમિરભાઇ ઠાકરના પિતાશ્રી તથા નિધિબેન સમીરભાઇ ઠાકરના સસરા તથા નીલાબેન દિપકભાઇ જોશી, જયશ્રીબેન રાજેશભાઇ જોશી, તથા નીકુબેન નિર્મલભાઇ વ્યાસના પિતાશ્રી તથા યશના દાદાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તા.૨ શનિવારે સાંજે ૪/૩૦ થી ૫/૩૦ જડેશ્વર મહાદેવ મંદીર ૬ કોલોની જામનગર ખાતે રાખેલ છે.