Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020
દ્વારકાઃ નલિનીબેન બેનરજીની સુપુત્રી સ્વાતીબેનનું અવસાન

દ્વારકાઃ દ્વારકાની જાણીતી એન.ડી.એચ. હાઈસ્કૂલના નિવૃત શિક્ષિકા નલિનીબેન વિભુદાસ બેનરજીના સુપુત્રી સ્વાતીબેનનું મુંબઈ ખાતે અકાળે દુઃખદ અવસાન થયેલ છે. યુવાવયે આકસ્મિક અવસાન થતા સમગ્ર બેનરજી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો છે. ઈશ્વર સદ્ગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના...જય દ્વારકાધિશ...

ઓમ શાંતિ... ઓમ શાંતિ...

પરેશ જાનીનું નિધન બેસણું-ઉઠમણું બંધ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મૂળ રાજકોટ હાલ નાલાસોપારા (મુંબઇ) નિવાસી પરેશભાઇ મનહરલાલ જાની (ઉ.૪૯) તે શૈલેષભાઇ કિરણભાઇ, જયશ્રીબેન એચ.રાવલ, સોનલબેન એસ.વીરાના ભાઇ તથા રમેશચંદ્ર પી.શુકલના જમાઇનું તા.ર૮/૩ ને શનિવારે મુંબઇ મકુામે દુઃખદ અવસાન થયેલ છે. તેનું ખુબ દુઃખ છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ બેસણું/ઉઠમણું અને બધી લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.

ગગજીભાઇ વાઘેલાનું અવસાનઃ કોરોનાને કારણે લૌકીક ક્રિયા બંધ

રાજકોટઃ મૂળ કોટડા સાંગાણી હાલ રાજકોટ નિવાસી ગગજીભાઇ પ્રાગજીભાઇ વાઘેલા (ઉ.વ.૮૦) તે કિશોરભાઇ (વોકહાર્ટ હોસ્પીટલ) અને સંજયભાઇ (રાજુભાઇ) (ડો.ટી.કે.એમ.ઇશ્વરની હોસ્પીટલ)ના પિતાશ્રીનું તા.ર૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. કોરોના વાયરસની મહામારીને કારણે લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. સંબંધીઓ અને મિત્ર વર્તુળોને ટેલીફોનીક સાંત્વના આપવા જણાવાયું છે.

અવસાન નોંધ

કેશોદના સુશીલાબેન રામાણીનું અવસાનઃ ટેલીફોનીક ઉઠમણું

કેશોદઃ સ્વ. સુશીલાબેન ચંદુલાલ રામાણી (ઉ. ૮૯) કે જે સ્વ. ચંદુલાલ મોરારજી રામાણીના ધર્મપત્ની તેમજ અશોકભાઇ સ્વ. સુભાષભાઇ, રાજુભાઇ, કિશોરભાઇ, જયેશભાઇ, જયશ્રીબેન, સ્વ. મંજુબેન અને સરલાબેનના માતૃશ્રી તા. ર૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા. ૩૦ના રોજ સોમવારે તેઓના નિવાસ સ્થાને જૂની શાક માર્કેટ દવે શેરીની બાજુમાં રાખેલ છે. રાજુભાઇ-૮૧૬૦૪ ૪૩ર૪૪ જયેશભાઇ-૯૮૯૮૬ ૩૦ર૩૯ કિશોરભાઇ-૯૮૯૮પ ૧૭૩૯પ

રેખાબેન ત્રિવેદી

રાજકોટઃ મુળ મોરબી હાલ પડધરી સ્વ. હસમુખરાય બટુકરાય ત્રિવેદીના પત્નિ રેખાબેન હસમુખરાય ત્રિવેદી તે અશોકભાઇના નાનાભાઇના પત્નિ તથા જનકભાઇના ભાભી તથા પ્રદિપભાઇ શાંતીલાલ ત્રિવેદીના બહેન તેમજ તુષારભાઇ અને મનોજભાઇના કાકીનું તા. ૩૦ના અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર કોરોના વાયરસના કારણે મોકુફ રાખેલ છે.

ભારતીબેન દવે

રાજકોટઃ જુનાગઢના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અરવિંદભાઇ ચંદ્રકાંતભાઇ દવેના પત્ની ભારતીબેન (ઉ. પ૮) તે મહેશભાઇના માતૃશ્રી અને જશવંતભાઇ તથા કનૈયાભાઇ (મોટી મોણપરી) ના બહેનનું તા. ર૯ના અવસાન થયેલ છે.

મંજુલાબેન મહેતા

રાજકોટઃ ચિત્તલ નિવાસી સ્વ. જયંતિલાલ રતીલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન જયંતિલાલ મહેતા (ઉ.૮૬) તે સંજય મહેતા (એસબીઆઇ વડોદરા), પ્રજ્ઞાબેન હરેશકુમાર ગાંધી અનેસ્વ. કિરણબેન જયંતકુમાર ઝાટકિયાના માતુશ્રીનું વડોદરા ખાતે દુઃખદ અવસાન થયેલ છે.સાંપ્રત પરિસ્થિતિને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મધુરિકાબેન પાવાગઢી

મોરબીઃ મધુરિકાબેન કીર્તીકુમાર પાવાગઢી (ઉ.વ. ૭૩) તે કીર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢીના પત્ની તથા સ્વ. યોગેન્દ્રભાઇ તથા ડો. કાંતિભાઇ ત્રિભોવનદાસ પાવાગઢીના નાનાભાઇના પત્ની તથા અશોકભાઇ, અતુલભાઇ, મનોજભાઇ, હિતેષભાઇ, મિલનભાઇ તથા મિતુલભાઇ પાવાગઢીના કાકીનું તા. ર૬ના રોજ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી રાખેલ નથી તો આપ મોબાઇલથી દિલગીરી વ્યકત કરશો.

ઝવેરભાઇ ઠોરીયા

રાજકોટઃ વેગડવાવ-હળવદ હાલ રાજકોટ સ્વ.ઝવેરભાઇ કેશવલાલ ઠોરીયા (વાણંદ) (ઉ.વ.૬ર) તે બાબુભાઇ તથા જયંતીભાઇ તથા જગદીશભાઇના ભાઇ અને ભાવેશભાઇના પિતાશ્રી તથા મનસુખભાઇ તથા રસીકભાઇ તથા ચમનભાઇ તથા હરેશભાઇના મોટાભાઇનું તા.ર૮ના અવસાન થયેલ છે. ક્રિયા શુક્રવાર તા.૩ના બજરંગવાડી શે. નં. ૧૧/૧ર ખાતે રાખેલ છે. નોંધઃ વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને લૌકીક વહેવાર બંધ રાખેલ છે. મો. નં. ૯૯૦૪૯ પ૪૭૪૯ ઉપર દિલાસો વ્યકત કરવો.

ભાવનાબેન ઝાલા

રાજકોટઃ કારડીયા રાજપુત સૌ. ભાવનાબેન (ભાનુબેન) હેમંતસિંહ ઝાલા તે હેમંતસિંહ ચનાભાઇ ઝાલાના પત્ની અને દિશાંતભાઇ હેમતસિંહ ઝાલાના માતા તથા લાલજીભાઇ ચનાભાઇ ઝાલાના ભાભી તા.ર૬ના શ્રી રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તથા લોકિક ક્રિયા બંધ રાખેલછે. જેની સર્વોએ નોંધ લેવી ટેલીફોનથી દિલાસો વ્યકત કરવા જણાવાયું છે. હેમંતસિંહ ચનાભાઇ ઝાલા ૯૪૦૮૩ ૯ર૮૧૪, ,દિશાંત હેમંતસિંહ ઝાલા ૯૯૦૪ર ૦૦૦૧૪

વિનયકાંત રાજયગુરૂ

મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના શ્રી વિનયકાંત માણેકલાલ રાજયગુરૂ (ઉ.વ.૮૩)ને વિપુલભાઇ રાજયગુરૂ (નાયબ મામલતદાર) પ્રાંત કચેરી, ગોંડલનાં પિતાશ્રીનું તા.૨૮-૩-૨૦૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  ખાસ નોંધઃ હાલ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ સદગતનું બેસણું તથા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વિનંતી છે. માત્ર ટેલીફોનીક/વ્હોટસએપ મેસેજ દ્વારા તમામને દિલસોજી પાઠવવા નિવેદન છે.

લાભુબેન રાઠોડ

કાલાવડઃ મોટા.વડાળા નિવાસી વાણંદ રાઠોડ લાભુબેન જીવનભાઇ તે ભરતભાઇ, દયાળજીભાઇ અને કિશોરભાઇના માતા તેમજ કાંતીભાઇના કાકીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન સમયે બેસણું લૌકિક કાર્ય મોકુફ રાખેલ છે.

ફિદાહુસેન ધનકોટ

ગોંડલઃ ફિદાહુસેન લુકમાનજી ધનકોટ જે ઈમરાનભાઇ ધનકોટ તેમજ હુસેનભાઇ ધનકોટના વાલિદ તેમ શબ્બીરભાઇ લુકમાનજી ધનકોટ તેમજ સૈફુદ્દીનભાઇ લુકમાનજી ધનકોટના મોટાભાઇ જન્નતનશીન થયેલ છે.

લીલાવંતીબેન ઓડેસરા

ધ્રોલઃ ગૌ.વા સોની બેચરલાલ ડાયાભાઇ આડેસરા (વાગુદળવારા)ના મોટા પુત્ર ગો.વા.હરજીવનભાઇના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉ.વ.૭૩) તે કેતનભાઇ (મુરલીધરજવેલર્સવાળા) તથા રીટાબેન, મયુરીબેન, ક્રિષ્નાબેન, કિરણબેનના માતૃશ્રી તેમજ ઋષભ, સ્મિત, ભુમીબેન , એકતાબેન , તન્મય, રુદ્રના દાદીમા  તેમજ બગથરાવાળા ગો.વા.સોની પ્રાણજીવનભાઇ વાલજીભાઇ પાટડીયાના દીકરી તા. ૨૯ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.  બેસણું તથા લૌકિક વ્યવહારની કોરોનાની મહામારીને કારણે બંધ રાખેલ છે.

ચંદુભાઇ બકરાણીયા

ધોરાજીઃ ચંદુભાઇ મનજીભાઇ બકરાણીયા ઉ.વ.૭૩ તે જેન્તીભાઇના નાનાભાઇ તથા વિનુભાઇ, પ્રવિણભાઇના મોટાભાઇ તથા અશ્વિન, હિતેશ, ચંદ્રેશના પિતાજીનું તા. ૨૮ના રોજ ટેલિફોનીક બેસણું રાખેેલ છે.

વિજયાબેન અંબાસણા

વીરપુર (જલારામ) : ગુર્જર સુથાર સ્વ. મનસુખભાઇ ત્રિભોવનભાઇ અંબાસણાના ધર્મ પત્ની વિજયાબેન મનસુખભાઇ અંબાસણા (ઉ.વ.૮૦) જે જયસુખભાઇ, મનહરભાઇ, દિપકભાઇ, દિનેશભાઇ તથા લતાબેન નિલેશભાઇ વેકરીયા (પોરબંદર)ના માતુશ્રી તેમજ જેન્તીભાઇ તેમજ ચંદુભાઇના ભાભી શનિવાર તા. ર૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને લીધે બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

રંભાબેન પટોળીયા

રાજકોટ : સ્વ. રંભાબેન જેઠાભાઇ પટોળીયા (ઉ.વ. ૮૨) તા. ૨૮ને શનિવારના રોજ અક્ષરવાસી થયેલ છે. વર્તમાન કોરોના વાયરસની સાવચેતીના પગલે કોઇપણ પ્રકારનું રૂબરૂ મળવાનું બંધ રાખેલ છે. સ્થળ : ૧૦૯, રચના સોસાયટી, કાપોદ્રા ચાર રસ્તા, વરાછા, સુરત. મો. ૯૮૭૯૯ ૮૭૨૨૫ /૯૪૨૮૮ ૯૨૬૨૭

ભાવનાબેન પિત્રોડા

રાજકોટ : ભાવનાબેન ભરતભાઇ પિત્રોડા તે ભરતભાઇ અરજણભાઇ પિત્રોડાના ધર્મપત્ની અને હિરેનભાઇ,તુષારભાઇના માતૃશ્રી તા. ૨૮ને શનિવારના રોજ રામ ચરણ પામેલ છે. લોકડાઉનને કારણે તેમનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. મો. ૯૯૨૫૪ ૫૫૬૭૬ / ૯૭૨૭૨ ૩૫૯૩૨

સુરેશભાઇ જયંતીલાલ ત્રિવેદી

મોરબી : શ્રીમાળી બ્રાહ્મણ મુળ મોરબી નિવાસી સુરેશભાઇ જયંતિલાલ ત્રિવેદી (ઉ.વ.૭૯) તે હસુભાઇ, ભુપેન્દ્રભાઇના ભાઇ તથા પરેશભાઇના પિતાશ્રીનું તા. ૨૯ને રવિવારે અવસાન થયેલ છે. સદ્ગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. (મો.નં. ૯૮૭૯૨ ૨૯૨૫૧)