Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023
ખંભાળીયાના રઘુવંશી અગ્રણી નટુભાઇ ગણાત્રાના માતાનું યુ.કે. ખાતે અવસાન

ખંભાળિયાઃ હાલ યુ.કે. વેલીંગબર્ગ રહેતા શાંતાબેન વિઠ્ઠલદાસ ગણાત્રા ઉ.૯૪ તે ખંભાળિયાના રઘુવંશી અગ્રણી નટુભાઇ ગણાત્રા તથા યુ.કે. રહેતા ગણાત્રા પરિવારના જગદીશભાઇ દિનેશભાઇ, જૈનીભાઇ, કિશોરભાઇ તથા ગીતાબેન નરેશકુમાર ખગ્રામના માતૃશ્રી તથા ખંભાળિયાના સ્‍વ.મુળજી કાલીદાસ મોદીના દીકરીનું તા.૨૮ના રોજ યુ.કે. વેલીંગબર્ગ ખાતે અવસાન થયુ છે.

રવિ પ્રકાશભાઇ ગાવડેનું અવસાન

રાજકોટઃ પ્રકાશભાઇ રામચંદ્ર ગાવડેના સુપુત્ર રવિભાઇ (ઉ.વ૩૯) તે જયેન તપન, કૃણાલના ભાઇ તેમજ સ્‍વ.અનિલભાઇ ટાંકના જમાઇનું તા.૨૯ રવિવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ ફેબ્રુઆરી ગુરૂવાર સાંજે ૪ થી ૬ નિવાસ સ્‍થાને R.C.K પાર્ક ૨-શ્‍યામનગર મેઇન રોડ, ગાંધીગ્રામ ખાતે રાખેલ છ. મો.તપન ગાવડે ૯૩૭૫૩ ૩૫૭૦૦, કૃણાલ ગાવડે ૯૩૭૭૭ ૭૧૦૧૧.

વિસાવદર પાલિકાના પૂર્વ સદસ્‍ય શંભુ દાદુ મકરાણીનું અવસાન : કાલે જીયારત

વિસાવદર : નગર પાલિકાના પૂર્વ સદસ્‍ય, ટ્રક ડ્રાઈવર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, મકરાણી સમાજના વરિષ્ઠ અગ્રેસર નજરમહંમદભાઇ દાદમહંમદભાઇ રહીશ ઉર્ફે ‘શંભુ દાદુ મકરાણી' નુ ગઈકાલે અવસાન થતા તેમની અંતિમયાત્રા વિશાળ સંખ્‍યામાં મુસ્‍લિમ બિરાદરો જોડાયા હતા.તેમની જીયારત કાલે તા.૩૧ મંગળવારના રોજ જામા મસ્‍જિદ-વિસાવદર ખાતે સવારે ૧૦ કલાકે રાખેલ છે.

ડો.વી.સી.શાહનું દુઃખદ અવસાનઃ આવતીકાલે મંગળવારે બેસણું

ડો.વી.સી.શાહ (ઉ.વ.૮૭) તેઓ ડો.યશુબેન શાહના પતિ, ડો.કેતનભાઈ શાહ તથા હેમાબેન રાજેશભાઈ કોઠારીના પિતાશ્રી, તેમજ ડો.સોનલબેન શાહ અને રાજેશભાઈ દિનેશભાઈ કોઠારીના સસરાશ્રી, દેવભાઈ શાહના દાદાશ્રી તેમજ આશુતોષભાઈ કોઠારી અને હર્ષભાઈ કોઠારીના નાનાશ્રી અરીહંત શરણ પામેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૩૧ મંગળવારે બપોરે ૪ થી ૬ કલાકે, જનકલ્‍યાણ કોમ્‍યુનીટી હોલ, એસ્‍ટ્રોન ચોક પાસે, અમીન માર્ગ રેલ્‍વે ફાટક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જયાબેન રાઠોડ

ગોંડલઃ નવાગઢના ખડખડ નિવાસી વાણંદ સ્‍વ. કાંતિભાઈ મોહનભાઇ રાઠોડ ના ધર્મ પત્‍ની જયાબેન કાંતિભાઈ રાઠોડ (ઉ.વ.૭૭)નું તા.૨૭ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે તે રાજેશભાઈ તેમજ હિતેષભાઇ ના માતળશ્રી તેમજ દેવેન, વિશ્વા, તેમજ માનસીના દાદીમા તેમજ મનસુખભાઇ ચૌહાણ મહુવા હરેશભાઇ ભટ્ટી ગોંડલ તેમજ સુલતાનપુરના પત્રકાર કમલેશભાઈ રાવરાણીના સાસુમાં થાય. તેમની ઉત્તરક્રિયા મહાસુદ ૧૨ને તા.૨.૨.૨૦૨૩ને ગુરુવારના રોજ જાગળતિપરા શેરી નં.૫ મામાદેવના મંદીર પાસે નવાગઢ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

બાવનજીભાઇ પાડલીયા

ગોંડલ (ભોજપરા): બાવનજીભાઇ બચુભાઈ પાડલીયા ઉ.૬૫ તે શૈલેષભાઈ, ચિરાગભાઇ તથા રાકેશભાઈના પિતાશ્રીનુ તા.૨૭ શુક્રવારના અવસાન થયુ છે. બેસણુ તા.૩૦ સોમવાર સાંજે ૩ થી ૬ તેમના નિવાસસ્‍થાન ભોજપરા ખાતે રાખેલ છે.

રૂપલબેન જોષી

ગોંડલઃ રૂપલબેન ધર્મેન્‍દ્રકુમાર જોષી (ઉં. વ.૪૯) રહે. તે ધમેન્‍દ્ર રસિકલાલ જોષીના પત્‍ની તે સ્‍વ વલ્લભદાસ ગીરધરલાલ રાજાની દીકરી તે મોરબી ભરતભાઈ રાજા, રાજકોટ સુજીતભાઇ રાજાના નાનાબેન રે.ગોંડલનું તા.૨૮ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું  બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૩૦ને  સોમવારના રોજ સાંજે ચાર થી પાંચ કલાકે ટેલીફોનિક રાખેલ છે.

દલપતરામ દવે

મોરબીઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ હરીપર કેરાળા હાલ મોરબી નિવાસી સ્‍વ.પોપટલાલ જાદવજી દવેના પુત્ર દલપતરામ પોપટલાલ દવે (ઉ.વ.૯૧) તે સ્‍વ.ભાનુશંકર, મહાસુખભાઇ, સ્‍વ.વનીતાબેન, નિર્મળાબેનના ભાઇ અને રાજુભાઇ - રમેશભાઇ, હર્ષિદાબેન ધીરજલાલ પંડયાના પિતાશ્રી તેમજ સ્‍વ. મણિશંકર ગૌરીશંકર પંડયાના પિતાશ્રી તેમજ સ્‍વ.મણિશંકર ગૌરીશંકર પંડયાના જમાઇ (મોરબી પોટરી)નું અવસાન તા.૨૮ના થયેલ છે તેમનું બંને પક્ષનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૪ થી ૫ જડેશ્‍વર મહાદેવ મંદિર, સ્‍ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

ઇન્‍દ્રવદન પરમાર

રાજકોટઃ આમરણ નિવાસી હાલ રાજકોટ (મોચી) ઇન્‍દ્રવદન ધનજીભાઇ પરમાર (ઉ.વ.૫૮) તે મનહરભાઇ એફસીઆઇ જામનગર, લીલાધરભાઇ, શીવલાલભાઇ તથા નરેન્‍દ્રભાઇ ધનજીભાઇ પરમારના લઘુબંધુ તેમજ અનિલ, નિલેશ, સંદીપ, તરૂણ, તુષાર તથા ચિરાગના કાકાનું તા.૨૮ના અવસાન થયેલ છે. બેસણું આજે તા.૩૦ને સોમવારે નવા થોરાળા, આરાધના સોસાયટી શેરી નં.૫ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હિતેષગીરી ગોસ્‍વામી

મોરબીઃ ગોસ્‍વામી હિતેષગીરી ઝવેરગીરી (ઉ.વ.૪૮) તે સ્‍વ. ઝવેરગીરી રેવાગીરીના પુત્ર  તથા અનિલગીરીના નાનાભાઇ તેમજ આરદીપગીરી, હર્ષદગીરી, બ્રિજેશગીરીના પિતાનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.રને ગુરૂવારે સાંજે  ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન નિલકંઠ સોસાયટી ગુ.હા.બોર્ડ પાછળ મોરબી-ર ખાતે રાખેલ છે.

છોટુભાઇ મોરી

વડીયા દેવડી : વડીયા દેવડી નિવાસી છોટુભાઇ નથુભાઇ મોરી (ખાંટ) ઉ.વ.૭ર તે દિલીપભાઇ તથા કમલેશભાઇના પિતાશ્રી તથા નટુભાઇ તથા વિનુભાઇ તેમજ હરેશભાઇ ગોંડલવાળાના બનેવીનું તા. રપ/૧/ર૩ને ને બુધવારના રોજ અવસાન થયેલ છે.

જયપાલસિંહ જાડેજા

માણાવદરઃ સ્‍વ.જયપાલસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૪૪)તે દિલીપસિંહ રામસિંહ જાડેજાના પુત્ર તથા ક્રિપાલસિંહ (હાથી/સિધ્‍ધી સીમેન્‍ટ)ના મોટાભાઇનું તા.ર૯ /૧/૨૦૨૩ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦/૧/૨૦૨૩ સોમવારે સાંજના ૪ થી ૬ દરમ્‍યાન તેમના નિવાસ સ્‍થાન પીપળેશ્વર મંદિર સામેની ગલીમાં માણાવદર ખાતે રાખેલ છે.

નટવરલાલ નિમાવત

મોરબી : મોરબી નિવાસી નટવરલાલ ગોપાલદાસ નિમાવત (ઉ.વ.૬ર) તે ઋત્‍વીક નિમાવતના પિતાશ્રીનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્‍થાન શંકર આશ્રમ મણીમંદિરની સામે મોરબી ખાતે રાખેલ છે. (મો.૯૦૯૯૮ ર૭૦૭૧)

વિજયાબેન સોમૈયા

મોરબીઃ મુળ કુંતાસી હાલ પાવી જેતપુર નિવાસી વિજયાબેન મનહરલાલ સોમૈયા (ઉ.વ.૮૩) તે સ્‍વ.મનહરલાલ જીવણદાસ સોમૈયાના ધર્મપત્‍ની તથા કનુભાઇ, રમેશભાઇ અને ચંદ્રીકાબેનના માતુશ્રી તેમજ સ્‍વ.અમરશીભાઇ રાજશીભાઇ ભોજાણીના દિકરી તા.રપના રોજ શ્રીજીચરણ પામેલ છે.

કાંતિલાલ પંડયા

જેતલસર : જં. નિવાસી સ્‍વ.કાંતિલાલ વલ્લભજીભાઈ પંડયા ઉવ.૮૫ તે મહેન્‍દ્રભાઈ તથા પંકજભાઈ તથા કાનાભાઈ (ગેરેજવાળા)ના પિતાનું તા.૨૯ ને રવિવાર ના રોજ કૈલાશવાશ પામેલ છે તેમનું બેસણું તા.૨ને ગુરુવારના રોજ પોતાના નિવાસ સ્‍થાને સાંજે ૪ થી ૬ વાગ્‍યે જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

વર્ષાબેન શુકલ

ખંભાળિયાઃ સહસ્‍ત્ર ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના સ્‍વ.વિસ્‍તાપ્રસાદ ત્રિભોવન શુકલના જયેષ્‍ઠ પુત્ર ઉપેનભાઇના ધર્મપત્‍નિ વર્ષાબેન ઉ.૬૮ તે બીરજુભાઇ તથા પારસભાઇના માતા, સ્‍વ.અરવિંદભાઇના ભાભી  તથા વીકીભાઇ (આશાપુરા ફાયનાન્‍સ ) ના કાકીનું તા.૨૬-૧-૨૩ના રોજ અવસાન થયુ છે.

સુશીલાબેન જાની

રાજકોટઃ સુશીલાબેન મુકુન્‍દરાય જાની (ઉ.વ.૮૧) તે નિલેશભાઈ અને હિતેશભાઈ (રેલ્‍વે), તેમજ કીર્તિબેન દિનેશકુમાર જોશી, પ્રતિભાબેન કમલકુમાર વ્‍યાસ, અલકાબેન જીતેન્‍દ્રભાઈ દવેના માતુશ્રીનું તા.૨૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે તેમના નિવાસસ્‍થાન ‘અન્‍નપૂર્ણા' વસુધા સોસાયટી શેરી નં.૫, પ્રેસ કોલોની પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

હરીલાલ કમાણી

રાજકોટઃ રાણપુર (ભેંસાણ) નિવાસી હાલ રાજકોટ હરીલાલ મગનલાલ કમાણી (ઉ.વ.૮૬) તે પ્રફુલ્લાબેનના  પતિ, સ્‍વ.નર્મદાબેન મગનલાલ કમાણી, પુત્ર નિલેષભાઈ, કવિતાબેન વિકમભાઈ વોરા, જુલીબેન રાજુભાઈ રાજપુતના પિતાશ્રી, પુર્વીબેન સસરા,  નિર્મળાબેન ધીરજલાલ દડીયા, સ્‍વ.બાબુભાઈ, અનંતભાઈ, જયશ્રીબેન હસમુખલાલ દોશીના મોટાભાઈ સ્‍વ.ગુલાબચંદ છગનલાલ શાહ (વાંકાનેર ઓટો મોબાઈલ્‍સ વાળા)ના જમાઈ, ખુશી, પ્રથાના દાદા, દર્શક, રીધ્‍ધિના નાના તા.૨૯ને રવિવારે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. નિલેશભાઈ હરીલાલ કમાણી મો.૭૦૪૫૧ ૫૩૮૨૬

પરેશભાઈ ઉનડકટ

રાજકોટઃ રાજકોટ નિવાસી પરેશભાઈ જયસુખભાઈ ઉનડકટ (વિકલ્‍પ એસ્‍ટેટ) (ઉ.વ.૫૦) તે ક્રિષ્‍ના તેમજ ભવ્‍યના પિતાશ્રી તેમજ ગીરીશભાઈ, દિનેશભાઈ અને શૈલેષભાઈના ભાઈ તથા આશિષભાઈ ઉનડકટના કાકાનું તા.૨૯ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન ‘બાલાજી' ૮- દ્વારકેશ પાર્ક, આલાપ ગ્રીન પાછળ, સોપાન હિલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

અરહાન વ્‍યાસ

રાજકોટઃ દામનગર નિવાસી હાલ મુંબઇ તુષાર વ્‍યાસ તથા ભાવના વ્‍યાસના પુત્ર અરહાન કેલિફોર્નિયા (અમેરિકા) ખાતે તા. ર૪-૦૧-ર૦ર૩ ના રોજ દુઃખદ અવસાન પામેલ છે, જે નટુભાઇ વ્‍યાસ અને મધુબેન વ્‍યાસના પૌત્ર નિતેશ વ્‍યાસ અને મનીષા વ્‍યાસના ભત્રીજા, ચંદુભાઇ જોષી અને પુષ્‍પાબહેન જોશીના દૌહિત્ર તેમજ રાજીવભાઇ અને હિમાંશુભાઇના ભાણેજ છે. તેમની પ્રાર્થના સભા તા. ૩૦-૧-ર૦ર૩ (સોમવાર) ના રોજ ૪ થી ૬ પાવનધામ, મહાવીર નગર કાંદિવલી પヘમિ મુંબઇ ખાતે રાખવામાં આવેલ છે. નટુભાઇ વ્‍યાસ (૯૭૬૯૪૪પ૯૦૧), નિતેશ વ્‍યાસ (૯૪૭૯૩૭૩૧૩ર), તુષાર વ્‍યાસ (૯૮૧૯પ૮૬૪૦૦)